SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ * જીવોને તેની ખબર પડતી નથી અને રત્નચિંતામણી જેવો મનુષ્ય દેહ પુણ્ય-પાપની બુદ્ધિએ નિષ્ફળ ચાલ્યો જાય છે, એટલે તેને મોક્ષગતિનો ! લાભ મળતો નથી. મનુષ્ય દેહે જે જીવો તીવ્ર મુમુક્ષુઓ છે તેઓ ખરા ? સત્સંગનો લાભ મેળવી સત્પરુષોથી પોતાનો પુરુષાર્થ સમજી જ્ઞાનના છે પ્રવાહને બીજા પુદ્ગલીક ભાવોથી છૂટો પાડી નિર્મળ કરે છે. જ્ઞાનનો નિર્મળ પ્રવાહ સામાન્ય ચેતનની સાથે એકાગ્ર થાય છે. જેટલું એકાગ્રપણું જ સધાય તે સમાધિ કહેવાય કૃપાળુદેવે લખ્યું છે કે : (૧) ઉપયોગ લક્ષણે સનાતન સ્કુરિત એવા આત્માને દેહથી, તેજસ | અને કાશ્મણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દૃષ્ટિ સાધ્ય કરી, છે. (૨) તે ચૈતન્યાત્મકસ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા-અશાતારૂપ અનુભવ વેધ્યા વિના રહેવાનો નથી, (૩) એમ નિશ્ચય કરી, જે શુભાશુભ પરિણામધારાની પરિણતિ છે વડે તે સત્તા અસત્તાનો સંબંધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ, સાત ખાતા . nisinier zuniuni - Asha ૪ (૪) દેહાદીથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલ તે આત્મામાં જે જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી. 4 તા (બજાબ ન (૫) પરમ શુદ્ધ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે તેથી ઉપરામ થઈ, જેમ ઉપશમિત થવાય તે ઉપયોગમાં તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચળ થવાય એ જ લક્ષ, એ જ ? ભાવના, એ જ ચિંતવના તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે. અંતરંગ દૃષ્ટિ કરી જોશો તો ઉપયોગ સિવાયના સર્વે ભાવો સંયોગી ભાવો છે. તેનાથી ઉપયોગને નિરંતર છુટો પાડે. નિર્મળ થયેલો ઉપયોગ જ સામાન્ય ચેતનની સાથે એકાગ્ર થઈ શકે. શ્રી સોમાભાઈ અને સસલા ૩3૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005579
Book TitleMoksh Marg Prakash
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1997
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy