________________
સમર્પણ પરમ ઉપકારી પૂ. શ્રી સોભાગભાઈને
પૂ. શ્રી સોભાગભાઈને માટે શ્રીમદ્ રાજચંદ્રજી કૃપાળુદેવે વચનામૃતમાં જે ઉલ્લેખ કર્યો છે તે “શ્રી સોભાગ પ્રત્યે સંવત ૨૦૩૪માં જે બુક છપાઈ છે તેના ત્રીજા પાને જે ઉલ્લેખ છે તે નીચે મુજબ છે. શ્રી સોભાગને તમે અમારા માટે જન્મ ધર્યો હશે એમ લાગે છે. તમે અમારા અથાગ ઉપકારી છો. તમે અમને અમારી ઇચ્છાનું સુખ આપ્યું છે. તે માટે નમસ્કાર સિવાય બીજો શું બદલો વાળિયે? પણ અમને લાગે છે કે અમારા હાથે હરિ તમને પરાભક્તિ અપાવશે; હરિના સ્વરૂપનું જ્ઞાન કરાવશે, અને એજ અમે મોટો ભાગ્યોદય માનીશું. શ્રી સોભાગ સંબંધે :
શ્રી સોભાગે તેવાં દેહને ત્યાગતાં મોટા મુનીઓને દુર્લભ એવી નિશ્ચળ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી. આ ક્ષેત્રે આ કાળમાં શ્રી સોભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે. શ્રી સોભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે ઉપકારતા આદિ ગુણો વારંવાર વિચારવા યોગ્ય છે. શ્રી સોભાગ મુમુક્ષુઓને વિસ્મરણ કરવા યોગ્ય નથી.
- શ્રીમદ્ રાજચંદ્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org