________________
શ્રીમદ્ રાજચંદ્ર કૃપાળુદેવે વચનામૃત (આંક ૭૮૦)ના પત્રમાં “પરમ ઉપકારી, આત્માર્થી સરળતાદિ ગુણ સંપન્ન” એવો શ્રી સોભાગભાઈનો ઉલ્લેખ કરેલ છે.શ્રીમદ્ રાજચંદ્ર તેમના વચનામૃતમાંના સમસ્ત પત્રોમાંથી વધારેમાં વધારે આંક ૨૪૭ પત્રો તેમના સખા
શ્રી સોભાગભાઈ ઉપર લખીને મોક્ષમાર્ગ પ્રકાશી ગયા છે..
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર કે જે સ્વતંત્ર શાસ્ત્ર છે તે પદોના રૂપમાં પૂજનીય શ્રી સોભાગભાઈની માગણીથી નડીઆદ મુકામે બનાવી તેમને સાયલા મોકલી આપેલ હતું.
વચનામૃત આંક (પત્ર ક્રમાંક) ૨૦૦ની નિયમાવલી સોભાગભાઈની માગણીથી તેમને લખી મોકલેલ હતી, કે જેમાં મોક્ષમાર્ગ સંપૂર્ણ રીતે પ્રકાશવામાં આવ્યો છે. શ્રી કૃપાળુદેવે જ્ઞાનચર્ચા લખશો કે પુછાવશો એમ વારંવાર સોભાગભાઈને લખેલ છે, એમ પૂ. શ્રી સોભાગભાઈના નિમિત્તે શ્રીમદ્ રાજચંદ્રજી તરફથી સંપૂર્ણ મોક્ષમાર્ગ તેમના પત્રવ્યવહારમાં આપણને વારસામાં મળેલ છે.
“આપ હૃદયના જે જે ઉદ્ગારો દર્શાવો છો, તે તે વાંચી આપની યોગ્યતા માટે પ્રસન્ન થવાય છે, પરમ પ્રસન્નતા થાય છે, અને ફરી ફરી સત્યુગનું સ્મરણ થાય છે,” (પત્રાંક ૧૮૨ સં. ૧૯૪૭ માગસર સુદ ૧૩)
“આપની સર્વોત્તમ પજ્ઞાને નમસ્કાર કરીએ છીએ. કળિકાળમાં પરમાત્માએ કોઈ ભક્તિમાન પુરુષો ઉપર પ્રસન્ન થવું હોય, તો તેમાંના આપ એક છો.
અમને તમારો મોટો ઓથ આ કાળમાં મળ્યો તેથી જ જિવાય છે.” (પત્રાંક ૨૧૫ સં. ૧૯૪૭ ફા. સુ. ૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org