SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ 3 અવધૂતવત્ વિદેહીવત્ જિનકલ્પીવતુ વિચરતા પુરુષ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ. (હાથનોંધ-૩, પૃ. ૪૩) (સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો સર્વ પ્રકારે જાણનાર, રાગદ્વેષાદિ સર્વ વિભાવ જેણે ક્ષીણ કર્યા છે તે ઇશ્વર) તે પદ મનુષ્યદેહને વિષે સંપ્રાપ્ત થવા યોગ્ય છે. સંપૂર્ણ વીતરાગ થાય, તે સંપૂર્ણ સર્વજ્ઞ થાય. (હાથનોંધ-૩, પૃ. ૪૫) ૧૮ પ્રત્યક્ષ નિજ અનુભવસ્વરૂપ છું, તેમાં સંશય શો ? તે અનુભવમાં જે વિશેષને વિષે ન્યૂનાધિકપણું થાય છે, તે જો મટે તો કેવળ અખંડાકાર સ્વાનુભાવસ્થિતિ વર્તે. ૧૭ ૐ નમઃ સર્વજ્ઞ વીતરાગ દેવ અપ્રમત્ત ઉપયોગે તેમ થઈ શકે. અપ્રમત્ત ઉપયોગ થવાના હેતુઓ સુપ્રતીત છે, તેમ વર્ષે જવાય છે તે પ્રત્યક્ષ સુપ્રતીત છે. અવિચ્છિન્ન તેવી ધારા વર્તે તો અદ્ભુત અનંત જ્ઞાનસ્વરૂપ અનુભવ સુસ્પષ્ટ સમવસ્થિત વર્તે. (હાથનોંધ-૩ પૃ. ૪૭) ૧૯ સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે, મોક્ષસંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે ‘બ્રહ્મચર્ય’અદ્ભુત અનુપમ સહાયકારી છે, અથવા મૂળભૂત છે. (હાથનોંધ-૩, પૃ. ૫૦) ૨૨ સર્વજ્ઞોપદૃષ્ટિ આત્મા સદ્ગુરુકૃપાએ જાણીને નિરંતર તેના ધ્યાનના અર્થે વિચરવું : સંયમ અને તપપૂર્વક – મોક્ષમાર્ગ પ્રકાશ Jain Education International For Personal & Private Use Only ૧૭૯ www.jainelibrary.org
SR No.005579
Book TitleMoksh Marg Prakash
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1997
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy