________________
૯ : દ્રવ્ય, ધ્રુવ, સનાતન છે.
૧૦ : પર્યાય ઉત્પાદવ્યયવંત છે.
૨૦ : જૈનધર્મનો આશય, દિગમ્બર તેમ જ શ્વેતાંબર આચાર્યોનો આશય, ને દ્વાદશાંગીનો આશય માત્ર આત્માનો સનાતન ધર્મ પમાડવાનો છે, અને તે જ સારરૂપ છે. આ વાતમાં કોઈ પ્રકારે જ્ઞાનીઓનો વિકલ્પ નથી. તે જ ત્રણે કાળના જ્ઞાનીઓનું કહેવું છે, હતું અને થશે; પણ તે નથી સમજાતું એ જ મોટી આંટી છે.
(૪)
૩૦ : જીવ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે શાંતપણામાં વિચરે તો અંતર્મુહૂર્તમાં મુક્ત થાય છે.
(૬)
૩ : આત્મા છે, આત્મા નિત્ય છે. પ્રમાણો : (૧)બાલકને ધાવતાં ખટખટાવાનું કોઈ શીખવે છે ? પૂર્વાભ્યાસ છે. જે (૨) સર્પ અને મોરને; હાથી અને સિંહને; ઉંદર અને બિલાડીને સ્વાભાવિક વૈર છે. તે કોઈ શિખવાડતું નથી. પૂર્વભવના વૈરની સ્વાભાવિક સંજ્ઞા છે, પૂર્વજ્ઞાન છે.
(૧૦)
૨ : મોક્ષમાર્ગ એ અગમ્ય તેમજ સરળ છે.
૧૩ : અમારી આજ્ઞાએ વર્તતાં જો પાય લાગે તો તે અમે અમારે શિરે ઓઢી લઈએ છીએ; કારણ કે જેમ રસ્તા ઉપર કાંટા પડ્યા હોય તે કોઈને વાગશે એમ જાણી માર્ગે ચાલતાં ત્યાંથી ઉપાડી લઈ કોઈને જ્યાં ન લાગે તેવી બીજી એકાંત જગ્યાએ કોઈ મૂકે તો કાંઈ તેણે રાજ્યનો ગુનો કર્યો કહેવાય નહી; તેમ રાજા તેનો દંડ કરે નહીં; તેમ મોક્ષનો શાંત માર્ગ બતાવતાં પાપ કેમ સંભવે ?
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
૧૫૯
www.jainelibrary.org