________________
છેકારણ કે જે અમારું અનુભવજ્ઞાન તેનું ફળ વીતરાગપણું છે, અને જ
વીતરાગનું કહેલું કે શ્રુતજ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે; માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ, સાચા છીએ.
વન અને ઘર એ બંને કોઈ પ્રકારે અમને સમાન છે, તથાપિ વનમાં પૂર્ણ વીતરાગભાવને અર્થે રહેવું વધારે રૂચિકર લાગે છે, સુખની ઇચ્છા નથી પણ વીતરાગપણાની ઇચ્છા છે.
જગતના કલ્યાણને અર્થે પુરુષાર્થ કરવા વિષે લખ્યું તો તે પુરુષાર્થ કરવાની ઇચ્છા કોઈ પ્રકારે રહે પણ છે, તથાપિ ઉદયને અનુસરીને ચાલવું એ આત્માની સહજ દશા થઈ છે, અને તેવો ઉદયકાળ હાલ સમીપમાં જણાતો નથી; તો તે ઉદેરી આણવાનું બને એવી દશા અમારી નથી.
જી પત્ર ક્રમાંક ૩૨૪ઃ સો. ચો તરફ ઉપાધિની જ્વાલા પ્રલતી હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે, અને એ વાત તો પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. અમને પણ આશ્ચર્ય થઈ આવે છે, તથાપિ એમ પ્રાયે વર્યા જ કરે છે, એવો અનુભવ છે.
આત્મભાવ યથાર્થ જેને સમજાય છે, નિશ્ચલ રહે છે, તેને એ છે સમાધિ પ્રાપ્ત હોય છે.
સમ્યકદર્શનનું મુખ્ય લક્ષણ વીતરાગતા જાણીએ છીએ; અને તેવો છે અનુભવ છે.
0 પત્ર ક્રમાંક ૩૨૫ સો. % ૫ - ૦૮ ૧ - ' જબ હીતે ચેતન વિભાવસો ઉલટિ આપુ, સમે
પાઈ અપનો સુભાવ ગહિ લીનો છે; તબહીર્તે જો જો લેનેજોગ સો સો સબ લીનો, જો જો ત્યાગજોગ સો સો સોબ છાંડીદીનો હે; લેવેંકો ન રહી ઠોર, ત્યાગીનેક નાહીં ઓર,
મોક્ષમાર્ગ પ્રકાશ
४७
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org