________________
જ એ વાત કોઈ રીતે શ્રેયરૂપ લાગતી નથી કેમકે રવજીભાઈને તેવી જ
પરમાર્થ ઇચ્છા નથી અને તમને છે, જેથી તમારે આ વાત ઉપર જરૂર * સ્થિર થવું. આ વાતનો વિશેષ નિશ્ચય રાખજો.
પત્ર ક્રમાંક પ૬૦ : સો. 9 જ જો જ્ઞાનીપુરુષના દઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષ પદ સુલભ છે છે; તો પછી ક્ષણેક્ષણે આત્મોપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ માર્ગ ' તે જ્ઞાનીપુરુષના દઢ આશ્રયે પ્રાપ્ત થવો કેમ સુલભ ન હોય ? કેમકે ! છે તે ઉપયોગના એકાગ્રપણા વિના તો મોક્ષપદની ઉત્પત્તિ છે નહીં.
જ્ઞાનીપુરુષના વચનનો દઢ આશ્રય જેને થાય તેને સર્વ સાધન સુલભ | થાય એવો અખંડ નિશ્ચય પુરુષોએ કર્યો છે; તો પછી અમે કહીએ ? છીએ કે આ વૃત્તિઓનો જય કરવો ઘટે છે, તે વૃત્તિઓનો જય કેમ ન છે
થઈ શકે ? આટલું સત્ય છે કે આ દુષમકાળને વિષે સત્સંગની ! * સમીપતા કે દઢ આશ્રય વિશેષ જોઈએ અને અસત્સંગથી અત્યંત આ નિવૃત્તિ જોઈએ, તો પણ મુમુક્ષુને તો એમ જ ઘટે છે કે કઠણમાં કઠણ
આત્મસાધન હોય તેની પ્રથમ ઇચ્છા કરવી કે જેથી સર્વ સાધન : છે અલ્પકાળમાં ફળીભૂત થાય. - શ્રી તીર્થકરે તો એટલા સુધી કહ્યું છે કે જે જ્ઞાની પુરુષની દશા છે સંસારપરિક્ષીણ થઈ છે, તે જ્ઞાની પુરુષને પરંપરા કર્મબંધ સંભવતો નથી, તોપણ પુરુષાર્થ મુખ્ય રાખવો, કે જે બીજા જીવને પણ આત્મસાધન- ૪ પરિણામનો હેતુ થાય.
સમયસારમાંથી જે કાવ્ય લખેલ છે તે તથા તેવા બીજા સિદ્ધાંતો માટે સમાગમે સમાધાન કરવાનું સુગમ પડશે. - જ્ઞાની પુરુષને આત્મપ્રતિબંધપણે સંસારસેવા હોય નહીં, પણ પ્રારબ્ધ પ્રતિબંધપણે હોય, એમ છતાં પણ તેથી નિવર્તવારૂપ પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હોય છે; જે રીતનો આશ્રય કરતાં હાલ ત્રણ વર્ષ થયાં વિશેષ તેમ કર્યું છે અને તેમાં જરૂર આત્મદશાને ભૂલાવે એવો
મોક્ષમાર્ગ પ્રકાશ
૬૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org