________________
આત્માર્થી બેન રમાબેન, મોરબી
જત તમારો ઇગ્લેન્ડ પત્ર મળ્યો વાંચી આનંદ તથા તમો પુરુષાર્થ કરો છો તેવું તમારા લખાણ ઉપરથી જાણી પ્રમોદ થાય છે.
O પત્ર નં. ૧૩ જી
તમોએ લખ્યું જે પુરુષાર્થ કરું છું તે માટેના પુરુષાર્થમાં કંઈક :
(૧) શ્વાસોચ્છવાસની મંદતા (૨) સંકલ્પ-વિકલ્પની મંદતા (૩) મુંઝવણ ઘણી જ ઊભી થાય છે (૪) અંદરમાં તો ઘોર અંધકાર દેખાય છે.
૩ર૬
સાયલા, તા. ૮-૫-૬૬
‘હજુ ભેદ પડતો નથી. પ્રકાશ સ્વરૂપ આત્માને કેટલું આવરણ. આ બધું જોઈ ખૂબ દુ:ખ થાય છે.' પુરુષાર્થ કરતા ઉપરની વસ્તુઓ તમને જણાણી તે પણ સમયવર્તી ઉપયોગ અથવા જ્ઞાનનું પરિણમન્, તે વડેથી બધું જણાયું ત્યાં પણ ઉપયોગનો જ મહીમા છે. તમોને જે વસ્તુ જણાણી તેનો કોઈ મહીમા નથી પણ જેના વડે જણાણી એટલે ઉપયોગ વડે જણાણી તેમાં હર ક્ષણે ઉપયોગનો જ મહીમા છે. મુંઝાવાનું કાંઈ કારણ નથી. આપણા ઉપયોગનો પ્રવાહ, જે કાંઈ જણાય તેથી ભિન્ન જ છે. અને તે ઉપયોગનો પ્રવાહ સામાન્ય ચેતન એટલે કે, ત્રીકાળી જ્ઞાન સ્વભાવી દ્રવ્ય, તેમાંથી તે પ્રવાહ આવે છે. માટે તમો નહીં મુંઝાતા પુરુષાર્થ ચાલુ રાખશો. અને શાંતિસ્વામી*નું પુસ્તક તમારી પાસે છે તેમાંથી ૯૩ અ. સૌ. બેન શ્રીમતિ વસંતીબેન ઉ૫૨નો કાગળ પાના ૯૮ ઉપર પૂરો થાય છે અને પાને ૯૮ વિલેપારલેથી વાલકેશ્વર મોટ૨માં જતા એ કાગળ પાના ૧૦૧ ઉપર પૂરો થાય છે. આ બન્ને કાગળો જ્યારે જ્યારે ફુરસદ મળે ત્યારે ત્યારે ખૂબ વિચારશો અને ન સમજાય તો પણ મુંઝાશો નહીં.
*
Jain Education International
“સમ્યજ્ઞાની શ્રી શાન્તિસ્વામી સ્વ સંવેદન” પ્રકાશક : મહેતા ન્યાલચંદ ફુલચંદ, વાંકાનેર (સૌરાષ્ટ્ર)
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
www.jainelibrary.org