________________
વખત એમ કહે છે કે તમે કોના હુકમથી અહીંયા આવ્યા છો ? તમે બોલો છો તે કોણ છે ? તે જુઓ, તેને જાણો. આ બધું તુટક તુટક બોલે છે. આનો ભાવાર્થ એટલો જ નીકળે છે કે સંકલ્પ-વિકલ્પ ક્યાંથી જ ઊઠે છે. તેના વિચારને માટે તમે જે ધ્યાન કરો છો તે, સંકલ્પ- .. વિકલ્પને ઠામુક છોડી દઈ, સત્સંગ કરવાની પ્રેરણા શાથી થાય છે, કોણ કરાવે છે, વિગેરેનો વિચાર કરતાં જે નિર્ણય કરે છે તે નિર્ણય
કર્તા કોણ છે. તેને તમે જાણો છો એટલે આત્મા સિવાય બીજા કોઈને : જાણવાની જરૂર નથી. એવો ભાવાર્થ નીકળે છે.
કેટલીક સમજણમાં તમે આત્માને ઠેકાણે મનને સ્થાપી દ્યો ને છે. મનને ઠેકાણે આત્માને સ્થાપી દ્યો તો તેમાં ખરી વસ્તુસ્થિતિ સમજાય
નહિ. બધુંય કર્તવ્ય મનનું જ, તો તે મનના કર્તવ્યને જાણ્યું કોણે, અને એ કર્તવ્ય બધું મનનું છે એવો નિર્ણય કર્યો કોણે. તો તે નિર્ણય કરનારને તમે બરાબર સમજો કે જે વસ્તુનો નિર્ણય કરે તે વસ્તુનો જ નિર્ણય કરનારથી જુદો હોવો જોઈએ. નિર્ણય કરનારને તમે પકડો. આ
જે જાણવાને માટે જ ઉપરના તેમના વાક્યો હોય તેવું જણાય છે. આ પછી ખરું શું છે તે તેમના આત્માને લાગે તે ખરું. જ હમણા ઉપાધીમાં હતો તેથી કાગળ લખવામાં ઢીલ થઈ છે. તે
એ પત્ર નં. ૬ 9
સં. ૧૯૯૨ બીજા ભાદ. વદ ૨. ! પરમ સત્સંગ યોગ્ય ભાઈ શ્રી મોતીચંદ નરસીની સેવામાં, મું. બોટાદ
સાયલાથી લી. સેવક કાળીદાસ માવજી તથા વ્રજલાલ દેવજી તથા કે છોટાલાલ મગનલાલના જય સદ્ગુરુદેવ વંદન વાંચશો.
આપનો પત્ર મળ્યો. જે જે શંકાઓ દર્શાવી તે વાંચી છે. પણ ભાઈશ્રી હકીકત એવી છે કે જ્ઞાની પુરુષે કોઈ વાત કયા આશયથી અને કોના ઉપર તે લખી છે, તે હકીકતની મૂળથી માહિતી વિના તથા
૨૨૦
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org