________________
તે જ્ઞાનનો યથાર્થ નિરધાર થયા વિના જ્ઞાનીના શબ્દોનું રહસ્ય આવા પ્રકારનું છે તેવો નિર્ણય નિજ મતિ કલ્પનાએ કરવો તે બધી કલ્પના જ છે. આ હકીકત બધી આગળ પાછળના હેતુપૂર્વક જાણવી ઘટે છે. તે બાબતના ખુલાસા અમારી યથામતી અનુસાર લખ્યા છે. ખરું તત્ત્વ તો તે લખનાર જ્ઞાની ગમ્ય છે.
(૧) સુધા પછીના કેટલાક દર્શન અમને થયા છે. તે દર્શન ધ્યાનાદિકમાં ચમત્કાર તરીકે થયા હોય તેમ અમારી માન્યતા નથી. પણ તે દર્શન અપૂર્વ દશાસૂચક છે. કેવળ અસંગપણે, નિર્મોહપણે નિજસ્વરૂપ સ્થિતિએ પણ જ્યારે ઉપયોગ વર્તતો હોય ત્યારે દેહ દશાનું ભાન ભૂલી જતા આગળ દશા હોવી જોઈએ. દશાનું કોઈ રીતે ભાસવું થાય તેવા પ્રકારના દર્શનો થયા હોય તેવી અમારી તો માન્યતા છે.
(૨) સહસ્ત્રદળ કમળને વિષે આદિ પુરુષ તે કોને કહેલ છે તે પુસ્તકમાંથી સમજશો. અને તે સહસ્ત્રદળકમળ કદાચ ધ્યાન દ્વારા આવતું હોય તો ના નહિ પણ અમે તેનો અનુભવ કરેલ નથી. તેના દર્શન થાય તો તે વેદાન્તના હિસાબે જીવો જીવનમુક્ત ગણાય. જૈનના હિસાબે સમકિતી ગણાય. આમાં પણ ઘણાં વિકલ્પો થવાના સંભવ છે. ચોથા ગુણસ્થાનકે તો ગણાય તેવી અમારી માન્યતા છે. પછી તો હોય તે ખરું !
(૩) સહસ્ત્રદળકમળ જાણવામાં આવ્યા પછી જાણવાનું તો નહિ, પણ કર્તવ્ય તો બાકી રહે ખરું.
(૪) પરમાર્થ-પરમાર્થ પુરુષે આપ્યું હોય તો ત્યાં કેટલો લાભ થાય, તે લેનાર પુરુષની દશા ઉપર આધાર રાખે છે. તેમજ આપનાર પુરુષે કયા પ્રકારથી આપ્યું છે તે શું કલ્પી શકાય. બાકી પ૨માર્થ-પરમાર્થ પુરુષનું આપેલું હોય તો તમે લખો છો તેમ મોક્ષનો ઉપાય નીકટ છે. તો પણ સામાની યોગ્યતા ઉપર આધાર રહે ખરો. અપ્રગટ પુરુષોનું આપેલું જ્ઞાન વ્યવહાર સમકિત ગણાય પણ ખરું અને નો પણ ગણાય. માર્ગાનુસારી તથા મુમુક્ષુતાને વિષે પણ ઉપર કહ્યું છે તેમ જાણશો.
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
૨૨૧
www.jainelibrary.org