SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) સુધારસ-જ્ઞાનથી આત્મજ્ઞાન અવશ્ય પામે, તેમ તે જ્ઞાનથી કોઈ જીવ ન પણ પામે. પ્રગટ સત્પુરુષના બોધથી પણ કોઈ જીવ જ્ઞાન પામે પણ ખરો અને ન પામે પણ ખરો. પ્રગટ સત્પુરુષના આપેલા વચનો તન-મન-ધનથી એકનિષ્ઠાથી આરાધે તો તેના વચનમાં જ કલ્યાણ રહ્યું છે. તેના એક વચનમાં અનંત આગમનું રહસ્ય રહ્યું છે, પણ તે જ્ઞાનીને જ્ઞાની રૂપે જ જાણ્યા હોય, રૂડે પ્રકારે તેનું વચન ઉઠાવ્યું હોય તો તે વચનથી કલ્યાણ છે. અને સુધારસ' સંબંધી પણ તેમજ જાણશો. જૈન જ્ઞાનીપુરુષો બોધિબીજનું મહાત્મ્ય ગણે છે તે બરાબર છે. પણ બોધિબીજ કોને કહેવું તે પોતાની મતી અનુસાર બોધિબીજનો અર્થ કરવો નકામો છે. બીજજ્ઞાન અને બોધિબીજ આ બે શબ્દનો શું અર્થ ફેર છે તે વિચારશો. નિશ્ચય સમ્યક્ત્વ તે શાસ્ત્ર વાટે કોઈ રીતે સમજાતું નથી તે ચોક્કસ માનશો. પણ અનુભવથી તે સમજવા યોગ્ય છે. તમે લખ્યું તે સમ્યક્ત્વ કેવળનું બીજ તમે ગણતા હોય તો ભલે, કદાચ તેમ પણ હોય પણ અમારી માન્યતા મુજબ કૃપાળુદેવ શું કહે છે. તે છંદ બરાબર વિચારશો કે : “પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુઉર બસે; વહ કેવલ કો બીજ જ્ઞાની કહે, નિજકો અનુભવ બતલાઈ દીયે.’ આનો વિચાર કરશો. ભલે કૃપાળુદેવ કરતા વિશેષપણે શાસ્ત્રોમાં કહ્યું હશે પણ અમને તો તેમના કહેલા વચનોનો જ વિશ્વાસ છે. તેનો જ પ્રેમ છે. તે સિવાય બીજા શાસ્ત્રો પર પ્રેમ પણ નથી, તેમ અનુભવ પણ નથી. ખરું સ્વરૂપ પ્રગટ થયા પછી પડદો પડી જાય છે, એટલે નો જણાય. આ સ્થિતિ તે સ્વરૂપ સ્થિતિ અમારી માન્યતા મુજબ તો નથી. જે આનંદઘનજી મહારાજે ‘સાદી અનંત’ કહી છે. તે ‘સાદી’ થયા પછી નાશ થતી નથી. અને નાશ થાય તો ‘સાદી’ નથી, ત્યાં વિશેષ ખુલાશો શું લખું. ૬, ૭, આવલીકાના શબ્દોમાં અમે તો ઝ સમજતા નથી. આપના સમજવામાં, અનુભવમાં હોય તે સાચું. જૈન ૨૨૨ Jain Education International શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005579
Book TitleMoksh Marg Prakash
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1997
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy