________________
*
સ્વછંદ ટળે તો જ મોક્ષ થાય. સદ્ગુરુની આજ્ઞા વિના આત્માર્થી જીવના શ્વાસોચ્છવાસ સિવાય છે બીજું ન ચાલે એવી જિનની આજ્ઞા છે.
ચૌદપૂર્વધારી અગિયારમેથી પાછો પડે છે તેનું કારણ પ્રમાદ છે. આ પ્રમાદના કારણથી તે એમ જાણે કે હવે મને ગુણ પ્રગટટ્યો'. આવા છે. અભિમાનથી પહેલે ગુણસ્થાનકે જઈ પડે છે; અને અનંતકાળનું ભ્રમણ ! કરવું પડે છે. માટે જીવે અવશ્ય જાગૃત રહેવું; કારણ કે વૃત્તિઓનું આ પ્રાબલ્ય એવું છે કે તે હરેક પ્રકારે છેતરે છે.
સ્પષ્ટ પ્રીતિથી સંસાર કરવાની ઇચ્છા થતી હોય, તો સમજવું કે : છે જ્ઞાની પુરુષને જોયા નથી. જે પ્રકારે પ્રથમ સંસારમાં રસસહિત વર્તતો
હોય તે પ્રકારે, જ્ઞાનીનો યોગ થયા પછી વર્તે નહીં એ જ જ્ઞાનીનું સ્વરૂપ.
જ્ઞાનીને જ્ઞાનદૃષ્ટિથી, અંતરદષ્ટિથી જોયા પછી સ્ત્રી જોઈને રાગ ઉત્પન્ન થાય નહિ; કારણ કે જ્ઞાનીનું સ્વરૂપ વિષયસુખકલ્પનાથી જુદું છે. અનંત સુખ જાણ્યું હોય તેને રાગ થાય નહિ; અને જેને રાગ થાય નહીં તેણે જ જ્ઞાનીને જોયા, અને તેણે જ જ્ઞાની પુરુષના દર્શન કર્યા,
પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં; છે કારણ કે જ્ઞાનીનાં વચનો યથાર્થ રીતે સાચાં જાણ્યાં છે. જ્ઞાનીની
સમીપ દેહ અને આત્મા જુદા પૃથક પૃથક જાણ્યાં છે તેને દેહ બાદ કરી આત્મા ભિન્ન ભિન્ન ભાસે; અને તેથી સ્ત્રીના શરીર અને આત્મા છે. જુદાં ભાસે છે. તેણે સ્ત્રીનું શરીર માંસ, માટી, હાડકાં આદિનું પૂતળું જાણ્યું છે એટલે ત્યાં રાગ ઉત્પન્ન થતો નથી.
કેશીશ્વામી મોટા હતા, અને પાર્શ્વનાથસ્વામીના શિષ્ય હતા, તોપણ
૧૩૮
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org