SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ મહાવ્રત અંગીકાર કર્યાં હતાં. કેશીસ્વામી અને ગૌતમસ્વામી મહા વિચારવાન હતા, પણ કેશીસ્વામીએ એમ ન કહ્યું ‘હું દીક્ષાએ મોટો છું માટે તમે મારી પાસે ચારિત્ર લ્યો'. વિચારવાન અને સરળ જીવ જેને તરત કલ્યાણયુક્ત થઈ જવું છે તેને આવી વાતનો આગ્રહ હોય નહીં. ગૌતમસ્વામી ચાર જ્ઞાનના ધર્તા હતા અને આનંદ-શ્રાવક પાસે ગયા હતા. આનંદશ્રાવકે કહ્યું ‘મને જ્ઞાન ઉપજયું છે’. ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું, ‘ના, એટલું બધું હોય નહીં, માટે આપ ક્ષમાપના લો ત્યારે આનંદ-શ્રાવકે વિચાર્યું કે આ મારા ગુરુ છે, કદાચ આ વખતે ભૂલ ખાય છે, તો પણ ભૂલ ખાઓ છો એણ કહેવું યોગ્ય નથી; ગુરુ છે માટે શાંતિથી કહેવું યોગ્ય છે એમ ધારી આનંદશ્રાવકે કહ્યું કે ‘મહારાજ ! સદ્ભુત વચનનો મિચ્છામિ દુક્કડં કે અસદ્ભૂત વચનનો મિચ્છામિ દુક્કડં ! ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું : કે ‘અસદ્ભૂત વચનનો મિચ્છામિ દુક્કડં’. ત્યારે આનંદશ્રાવકે કહ્યું ‘મહારાજ હું મિચ્છામિ દુક્કડં લેવાને યોગ્ય નથી.' એટલે ગૌતમસ્વામી ચાલ્યા ગયા. અને જઈને મહાવીરસ્વામીને પૂછ્યું. (ગૌતમસ્વામી તેનું સમાધાન કરે તેવા હતા, પણ છતે ગુરુએ તેમ કરે નહીં જેથી મહાવીરસ્વામી પાસે જઈ હકીકત કહી) મહાવીર સ્વામીએ કહ્યું ‘હે ગૌતમ ! હા, આનંદ દેખે છે એમ જ છે, અને તમારી ભૂલ છે, માટે તમે આનંદ પાસે જઈ ક્ષમાપના લ્યો.’ ‘તહત્’ કહી ગૌતમસ્વામી ક્ષમાવવા ગયા. જો ગૌતમસ્વામીમાં મોહ નામનો મહા સુભટ પરાભવ પામ્યો ન હોત તો ત્યાં જાત નહીં. અને કદાપિ ગૌતમસ્વામી એમ કહેત કે ‘મહારાજ ! આપના આટલા બધા શિષ્ય છે તેમની હું ચાકરી કરું, પણ ત્યાં તો નહીં જાઉં; તો તે વાત કબૂલ થાત નહીં. ગૌતમસ્વામી પોતે ત્યાં જઈ ક્ષમાવી આવ્યા ! મોક્ષમાર્ગ પ્રકાશ Jain Education International For Personal & Private Use Only ૧૩૯ www.jainelibrary.org
SR No.005579
Book TitleMoksh Marg Prakash
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1997
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy