________________
બીજાને ઊંચા ગુણે ચઢાવવા, પણ કોઈની નિંદા કરવી નહીં. કોઈને સ્વચ્છંદે કાંઈ કહેવું નહીં. કહેવા યોગ્ય હોય તો અહંકારરહિતપણે કહેવું. પરમાર્થદૃષ્ટિએ રાગદ્વેષ ઘટ્યા હોય તો ફળીભૂત થાય, વ્યવહારથી તો ભોળા જીવોને પણ રાગદ્વેષ ઘટ્યા હોય; પણ પરમાર્થથી રાગદ્વેષ મોળા પડે તો કલ્યાણનો હેતુ છે.
‘દુર્બળ દેહ ને માસ ઉપવાસી, જો છે માયારંગ રે; તોપણ ગર્ભ અનંતા લેશે, બોલે બીજું અંગ રે.’
મોટા પુરુષોની દૃષ્ટિએ જોતાં સઘળાં દર્શન સરખાં છે. જૈનમાં વીસ લાખ જીવો મતમતાંત૨માં પડ્યા છે ! જ્ઞાનીની દૃષ્ટિએ ભેદાભેદ હોય નહીં.
જ્યાં જાઓ ત્યાં કલ્યાણની વૃદ્ધિ થાય તેવી દૃઢ મતિ કરવી. કુળગચ્છનો આગ્રહ મુકાવો એ જ સત્સંગનું માહાત્મ્ય સાંભળવાનું પ્રમાણ છે. ધર્મના મતમતાંતરાદિ મોટા મોટા અનંતાનુબંધી પર્વતની ફાટની માફક મળે જ નહીં. કદાચંહ કરવો નહીં, ને કદાગ્રહ કરતા હોય તેને ધીરજથી સમજાવીને મુકાવવા ત્યારે સમજ્યાનું ફળ છે. અનંતાનુબંધી માન કલ્યાણ થવામાં આડા સ્તંભરૂપ કહેલ છે. જ્યાં જ્યાં ગુણી મનુષ્ય હોય ત્યાં ત્યાં તેના સંગ કરવાનું વિચા૨વાન જીવ કહે. અજ્ઞાનીનાં લક્ષણો લૌકિક ભાવનાં છે. જ્યાં જ્યાં દુરાગ્રહ હોય ત્યાં ત્યાંથી છૂટવું; ‘એને મારે જોતાં નથી' એ જ સમજવાનું છે.
ō ઉપદેશ છાયા ૫ G
પ્રમાદથી યોગ ઉત્પન્ન થાય છે. અજ્ઞાનીને પ્રમાદ છે. યોગથી અજ્ઞાન ઉત્પન્ન થતું હોય તો જ્ઞાનીને વિષે પણ સંભવે, માટે જ્ઞાનીને યોગ હોય પ્રમાદ હોય નહીં.
१४०
Jain Education International
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
www.jainelibrary.org