SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ અનંત વૃત્તિઓ અનંત પ્રકારે સ્ફૂરે છે, અને અનંત પ્રકારે જીવને બંધન કરે છે. બાળજીવોને આ સમજાય નહીં તેથી જ્ઞાનીઓએ તેના સ્થૂળ ભેદો સમજણ પડે તે રીતે કહ્યાં છે. વૃત્તિઓનો મૂળથી ક્ષય કર્યો નથી તેથી ફરી ફરી સ્ફુરે છે. દરેક પદાર્થને વિષે સ્ફુરાયમાન થતી બાહ્યવૃત્તિઓને અટકાવવી; અને તે વૃત્તિ-પરિણામ અંતર્મુખ કરવા. અનંતકાળનાં કર્મ અનંતકાળ ગાળ્યે જાય નહીં, પણ પુરુષાર્થથી જાય. માટે કર્મમાં બળ નથી પણ પુરુષાર્થમાં બળ છે. તેથી પુરુષાર્થ કરી આત્માને ઊંચો લાવવાનો લક્ષ રાખવો પરમાર્થની વાત એકની એક એકસો વખત પૂછો તોપણ જ્ઞાનીને કંટાળો આવે નહીં; પણ અનુકંપા રહે કે આ બિચારા જીવને આ વાત વિચારે કરી આત્મામાં સ્થિર થાય તો સારું. ક્ષયોપશમ પ્રમાણે શ્રવણ થાય છે. સમ્યક્ત્વ એવી વસ્તુછે કે એ આવે ત્યારે છાનું ના રહે. વૈરાગ્ય પામવો હોય તો કર્મને નિંદવાં. કર્મને પ્રધાન ન કરવાં પણ આત્માને માથે રાખવો-પ્રધાન કરવો. મિથ્યાદ્દષ્ટિ સમકિતી પ્રમાણે જપતપાદિ કરે છે, એમ છતાં મિથ્યાદૃષ્ટિનાં જપતપાદિ મોક્ષના હેતુભૂત થતાં નથી, સંસારના હેતુભૂત થાય છે. સમકિતીનાં જપતપાદિ મોક્ષનાં હેતુભૂત થાય છે. સમકિતી દંભરહિત કરે છે, આત્માને જ નિંદે છે, કર્મો ક૨વામાં કારણોથી પાછો હઠે છે: આમ કરવાથી તેના અહંકારાદિ સહેજે ઘટે છે. અજ્ઞાનીમાં બધાં જપતપાદિ અહંકાર વધારે છે, અને સંસારના હેતુ થાય છે. જીવને જ્ઞાનીપુરુષસમીપે તેમનાં અપૂર્વ વચનો સાંભળવાથી અપૂર્વ ઉલ્લાસ પરિણામ આવે છે, પણ પછી પ્રમાદી થતાં અપૂર્વ ઉલ્લાસ મોક્ષમાર્ગ પ્રકાશ Jain Education International For Personal & Private Use Only ૧૪૧ www.jainelibrary.org
SR No.005579
Book TitleMoksh Marg Prakash
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1997
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy