________________
છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ તથા અસત્યસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત્ માત્ર સંશય નથી.
આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસ...સંગનું બળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી , 1 આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી ? આત્મજ્ઞાન થાય છે, અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવસ્વરૂપ, સર્વ ફ્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે; એ વાત કેવળ સત્ય છે.
જે જીવો મોહનિદ્રામાં સૂતા છે તે અમુનિ છે, નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગ્રત રહે; પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદિને કોઈ જ રીતે ભય નથી, એમ શ્રી જિને કહ્યું છે. | સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે.
જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે. કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભદજાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી.
અન્ય પરિણામમાં જેટલી તાદાસ્યવૃત્તિ છે, તેટલો જીવથી મોક્ષ છે. દૂર છે. ( જો કોઈ આત્મજોગ બને તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ? છે. ન થઈ શકે તેવું છે. પ્રાયે મનુષ્યદેહ વિના આત્મજોગ બનતો નથી,
એમ જાણી, અત્યંત નિશ્ચય કરી, આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન જ કરવો ઘટે.
વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ અન્ય પરિચયથી પાછો છે ! વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે. અસત્સંગ પ્રસંગનો ! આ ઘેરાવો વિશેષ છે, અને આ જીવ તેથી અનાદિકાળનો હીનસત્ત્વ થયો જ
હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ
(૭૦)
90
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org