________________
જ વિષે પુછાવ્યું હતું તેનો ખુલાસો આ કાગળમાં આવી ગયો છે. છતાં જ | આંક ૯૨૭ તમે વાંચી જોશો તો ખુલાસો થઈ જશે. તેમાં નિર્વિકલ્પતા T કોને કહેવી તે સ્વરૂપ બતાવેલ છે. તે બરાબર વિચારશો.
પત્ર નં. ૯ ૯૪
સાયલા
સં. ૧૯૯૫ના માગસર વ. ૫, રવિ ! પરમ જીજ્ઞાસુ ભાઈ પરસોત્તમ હીમજીની સેવામાં, - સાયેલાથી લી. કાળીદાસ માવજીનાં દંડવત્ પ્રણામ વાંચશો.
બીજું આપના કાગળો બધાય પહોંચ્યા છે. ફાગણ વદમાં મુદત પૂરી થાય છે તેમ મારા માનવામાં ન હતું. મારા ધારવામાં ચૈત્ર કે જ વૈશાખ હતો. તો હવે પોષ સુદમાં ઘણું કરીને આવશું, માટે તે વાતે જ ચિંતા કરશો નહીં. ત્રણે જણાને મોખ આવશે તો ભલે નહીંતર જેને મોખ આવશે તે ચોક્કસ આવીશું. પછી કોઈ અજાણ્યું વિઘ્ન આવે તે
કુદરતી આધીન છે. છે. બીજું તમોએ પુછાવેલ પ્રશ્નોના જવાબ નીચેની વિગતથી જાણશો. તે
તમારો પ્રશ્ન સંકલ્પ કોને કહેવા તે વિષે છે :
ઉત્તર : શ્રી કુંદકુંદાચાર્યનું સમયસાર પુસ્તક મૂળ છે, તેમાં એમ છે છે કે “દ્રવ્યકર્મ, ભાવકર્મ અને શરીરાદિના નો કર્મ”. જો “અપની કલ્પના
કરના ઉસે સંકલ્પ કહેતા હય' ઔર ‘શેય કે આકારોમેં જ્ઞાનમેં ભેદ
માલુમ પડતા હૈ ઉસે વિકલ્પ કહેતા હૈ.' છે આ મુજબનો સંકલ્પ-વિકલ્પનો અર્થ શ્રી કુંદકુંદાચાર્યના સમયસાર છે ગ્રંથમાં કરેલ છે. હવે તે વધારે સમજવા માટે વધારે સ્પષ્ટ રીતે લખું
કે : જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય આદિ જે આઠ કર્મ છે તે આઠ જ છે. કર્મમાં તમામ કર્મનો સમાવેશ થાય છે તેમ સમજશો. તે આઠ કર્મરૂપ
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
ર૪૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org