________________
શબ્દમાં જ ઉલ્લેખ છે. (પત્રાંક ૧૭૦)
ત્યાર બાદ તેઓ “બીજજ્ઞાન'ની શોધમાં નીકળ્યા હતા અને તે બીજજ્ઞાન શ્રી મનસુખરામ સૂર્યરામ પાસે છે એમ જાણવામાં આવતા તે બાબતમાં પત્રવ્યવહાર શ્રી મનસુખરામ સૂર્યરામ સાથે શરૂ કરેલ હતો. દરમ્યાન પૂ. શ્રી સોભાગભાઈ રૂની ખરીદી માટે મોરબી, અંજાર વિગેરે સ્થળોએ ફરતા હતા. તેમનો ભેટો શ્રીમદ્ રાજચન્દ્રને વવાણીયા મુકામે થયો. જે “બીજજ્ઞાન” મારવાડી સાધુસંત પાસેથી શેઠ શ્રી લલ્લુભાઈ (પૂ. શ્રી સોભાગભાઈના પિતાશ્રી) લાવેલ તે “બીજજ્ઞાન” તેમણે પૂજ્ય શ્રી ડુંગરભાઈ તથા પૂ. સોભાગભાઈને આપેલ. આ “બીજજ્ઞાન” સવંત ૧૯૪૬ના બીજા ભાદરવા વદ ૧૨ પહેલા શ્રી સોભાગભાઈએ પૂ. શ્રીમદ્ રાજચંદ્રજીને બતાવતા તેઓને જે જ્ઞાન વિસ્મૃત થયેલું તેનું સ્મરણ થયેલું. આ ઉપકારના બદલામાં પૂ. શ્રી રાજચંદ્રજી શ્રી સોભાગભાઈને જે ભૂમિકાએ હતા ત્યાંથી ઉપાડી “બે ફાડ” થવા સુધી એટલે આત્મદ્રવ્ય પ્રગટ થવા સુધી લઈ ગયા અને તેઓ જીવનભર પૂ. શ્રી સોભાગભાઈનો વિનય - કરતા રહ્યા. તેઓ બંનેના હૃદય વચ્ચેનું અંતર દૂર થતા આપણા જેવા મુમુક્ષુઓને માટે તેમની સાથેના પત્રવ્યવહારમાં મોક્ષમાર્ગ મૂકતા ગયા.
“આત્મસિદ્ધિશાસ્ત્ર” જે સ્વયં સ્વતંત્ર મોક્ષમાર્ગ બતાવે તેવું શાસ્ત્ર છે તે પણ ખુદ પૂ. શ્રી સોભાગભાઈને અર્થે નડિયાદ મુકામે બનાવી તેમને મોકલી આપ્યું.
તે “આત્મસિદ્ધિ સાસ્ત્રમાં “ગુરુ રહ્યા છઘસ્થ પણ વિનય કરે ભગવાન” અને “...સમજે કોઈ સુભાગ” એ ખાસ ઉદ્દેશપૂર્વક લખાયું છે તેમ સમજાય તેવું છે.
૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org