SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્ઘાત યોગેશ્વર શ્રી આનંદઘનજી મહારાજ સાહેબે પ્રથમ જનસમુદાયમાં રહેવાનું શરૂ કરેલ પણ તે જનસમુદાયમાં સંકુચિતતા અને અહંભાવનો અનુભવ થતાં પછી જંગલમાં અગર ગામ બહાર જ રહેતા, તેમ રહેવા છતાં તેઓ શ્રી જગતના જીવો માટે મોક્ષમાર્ગ તેમના પદો તથા સ્તવનોમાં મૂકતા ગયા છે. પરમ જ્ઞાની મહાત્માઓનું જીવન પર ઉપકાર માટે જ હોય છે. તેવી રીતે કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીની તો માર્ગ પ્રવર્તાવવા માટે છત્રીસમે વર્ષે બહાર નીકળવાની ગણત્રી હતી. પરંતુ તેઓશ્રીનું ૩૬ વરસ કરતા ઓછું આયુષ્ય રહ્યું એટલે તેમ કરી શક્યા નહિ, છતાં તેઓશ્રી, તીર્થંકરદેવ પ્રણીત મોક્ષમાર્ગ, તેઓશ્રીના પરમસખા પૂ. શ્રી સોભાગભાઈ તથા પૂ. લલ્લુજી મહારાજ સાહેબ આદિના નિમિત્તથી (પત્રો દ્વારા- વચનામૃતથી) મોક્ષમાર્ગ પ્રકાશી ગયા. જો આયુષ્ય લાંબુ હોત તો મુમુક્ષુ જીવોના ભાગ્ય ઉઘડી જાત. પરમ કૃપાળુદેવે કેવી કૃપા કરી છે તે “વચનામૃત' શ્રીમદ્ રાજચન્દ્ર પુસ્તકથી આપને ખાત્રી થાય તેવું છે. છતાં “શ્રીમદ્ રાજચંદ્ર' પુસ્તકમાંથી તત્વરૂપ જે મોક્ષમાર્ગ બતાવનાર માખણ છે તે આ પુસ્તકના પહેલા વિભાગમાં તેમના જ શબ્દોમાં તારવવામાં આવેલ છે. શ્રી અમીચંદભાઈના અગ્નિદાહ પ્રસંગે, શ્રીમદ્ રાજચંદ્રને છે વરસની ઉંમરે બાવળના ઝાડ ઉપર જે જ્ઞાન ઉત્પન્ન થયેલ તે જાતિસ્મરણ જ્ઞાન હતું. તેઓ પોતે બાવીસ વર્ષની ઉમર થયા પહેલા અગીયારમાં ગુણસ્થાનક સુધી ચડીને પડ્યા હતા તે તેઓના ૧૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005579
Book TitleMoksh Marg Prakash
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1997
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy