________________
આશય (રહસ્ય) છે.
આવી જાગૃતિ રાખવાથી સ્વપરિણતિનું ગ્રહણ અને પરપરિણતિનો ત્યાગ થાય છે. તમો એજ પુરુષાર્થ ચાલુ રાખશો. વળી જ્યારે મોરબી આવવાનું થશે ત્યારે રૂબરૂમાં વધારે ખુલાશો થશે. અત્રેથી ભાઈઓએ તમો સર્વે બેનોને આત્મવંદન લખાવ્યા છે.
દ : છોટાલાલના આત્મવંદન. ઉપર જણાવેલ જાગૃતિ રાખવાથી હું દેહ છું એ બુદ્ધિનો વિલય અને હું આત્મજ્ઞાન સ્વરૂપ ચૈતન્ય છું એ બુદ્ધિ દૃઢ થતી જશે.
દ: છોટાલાલ
O પત્ર નં. ૧૬ જી
સાયલા, તા. ૭-૮-૬૬
આત્માર્થી બેન રમાબેન, મોરબી
જત તમારો પત્ર તા. ૬-૮. નો લખેલ મળ્યો. વાંચી ખૂબ પ્રમોદ થયો છે.
Jain Education International
તમને વિચારદશા પ્રગટી ગઈ છે એ મહાન પુન્યના ઉદયનું ચિન્હ છે, જેને જ્ઞાન ગર્ભીત વૈરાગ્ય થાય છે તેને શરૂઆતમાં આવું જ થાય છે. તમોએ લખ્યું કે જ્યારે એમાં વિશેષ સ્થિરતા થાય ત્યારે ઉપયોગ (મન) શૂન્ય બની જતો હોય એવું લાગે છે. શાંતિસ્વામીનું પુસ્તક પાનું ૧૬૭... પ્રશ્ન : ઔદયિક ભાવ એટલે શું ? અને તે ઉયિક ભાવ છે તે કેમ જાણવું ? જવાબ વાંચી જોજો. તમારી ઉપરની સ્થિતિ એ ઉપશમીક ભાવ છે. અજ્ઞાનદશા છોડાવી અને ધર્મદશા પ્રગટ કરાવવા માટે ઉપશમીક ભાવ આવે છે, પ્રગટે છે. અનાદિ અજ્ઞાની જીવને પહેલા દર્શન મોહનો ઉપશમ જ થાય છે. અનાદિ અજ્ઞાની જીવ જ્યારે ચૈતન્ય સ્વભાવમાં ઢળે છે, ત્યારે તેને મિથ્યાત્વઆદિનો મોહભાવ દબાઈ જાય છે, તેને ઉપશમ સમ્યક્દર્શન કહેવાય છે.
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
339
www.jainelibrary.org