________________
ઉપશમભાવ અને સમ્યફદષ્ટિનો ક્ષયોપસમ ભાવ એ બે ભાવો છે. મોક્ષમાર્ગરૂપ છે. તમોને શાંતિસ્વામીના પુસ્તકમાંથી જે જે વાંચવાની છે
અત્યારે જરૂર છે તેનું લીસ્ટ આ સાથે બીડ્યું છે, તે અનુકુળતાએ વાંચવાનો-વિચારવાનો અભ્યાસ રાખશો. તમોને રોજ રોજ નવું નવું સમજાતું જશે. ન સમજાય તો મુંઝાશો નહીં. હવે પછીના સમાગમમાં તમો ખૂબ આગળ વધી શકશો એમ મને લાગે છે. અત્રેથી સર્વે ભાઈઓએ તમો સૌ બેનોને આત્મવંદન લખાવ્યા છે.
દઃ છોટાલાલના આત્મભાવે વંદન કે તમારો કાગળ વાંચીને અત્રે સર્વે ભાઈઓને ખૂબ જ આનંદ થયો છે
0 પત્ર નં. ૧૭
સાયલા, તા. ૧૫-૧૦૬૬ . ચી. બહેન રમાબહેન, મોરબી
જત તમારો ઈનલેન્ડ પત્ર તા. ૧૨-૧૦-૧૯નો લખેલ મળ્યો વાંચી - આનંદ. | મેં તો તમને અત્રે બોલાવેલા તે સવિતાબેન અત્રે સાથે આવશે
એમ ધારીને બોલાવેલ પણ હવે તો તે જોગ હમણા થાય તેમ નથી તો સવિતાબેન જ્યારે તેમને ઠીક લાગે ત્યારે ભલે સુધાના સ્થળનું દર્શન કરાવે. વળી અનુકુળ ટાઈમ હશે તો સર્વે અત્રે ભેગા થઈશું. કોઈ પણ રીતે સવિતાબેનનું નિમિત્ત પામી તમો બેનો તૈયાર થાઓ. સપુરુષો તો માર્ગદર્શન આપી દૂર રહે છે. પણ તેનો લાભ લઈ જીવોને આત્મસાક્ષાત્કાર થાય ત્યારે જ સપુરુષો નિમિત્ત તરીકે જાહેર થાય છે.
૩૩૨
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org