SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) મનના સંકલ્પ વિકલ્પથી રહીત થવું તેને નિર્વિકલ્પ સમાધિ કહેતા હો તો ડોક્ટર ક્લોરોફોર્મ સુંઘાડે છે તેને પણ તે વખતે મનના છે સંકલ્પ વિકલ્પ હોતા નથી તો તેને કઈ દશા કહેવી ? (૫) મન હોય ત્યાં સુધી મનનો સંકલ્પ વિકલ્પ કરવાનો સ્વભાવ | છે, તે ટળે ખરો ? અને ટળે તો કેવી રીતે ટળે તે વિચારશો. (૬) મન શું વસ્તુ છે ? મન તો છેવટની દશા તે જ ભવમાં થવાની હોય તેને પણ દેહધારીપણું વર્તે ત્યાં સુધી મન, વચન અને કાયાના એ ત્રણે યોગ વર્તે છે. તો મન તો છેવટ સુધી હોય છે છતાં મનનાં છે 1 વિચારો પોતાને બાદ નથી કરતા તે કેવા પ્રકારે ? તે વિચારશો. ! (૭) નિર્વિકલ્પતા તમે તથા હરજીવનદાસ કરવા ધારો છો તે જ જ પ્રકારે હશે કે નિર્વિકલ્પતા કોઈ જુદી રીતે હશે ? તે કૃપાળુદેવના છે પુસ્તકમાં નીચેના આંક જરૂર વાચી વિચારશો. આંક નં. ૩૨૨ અને ૩૨૯. આ પત્રો શ્રી સૌભાગ્યભાઈ ઉપર જ લખાયેલા છે તે જાણશો. સુખ અને આનંદ માટે લખો છો તે બરાબર છે. જ્યાં સુધી વાત્મરૂપ દશાપૂર્વક સ્થિતિ પોતાની ન થાય ત્યાં સુધી તે આનંદનો અનુભવ પોતાને કેમ થાય ? સુખ આનંદ દશાનું છે. હજુ તો તે દશા છે કોને કહેવી તેના નિર્ણયમાં જ આપણે છીએ. તે બરાબર નિર્ણય પછી જ તે દશા પ્રાપ્ત થયે સુખ અને આનંદ તે ભૂમિકામાં આવે ત્યારે ચોક્કસ અનુભવી શકાય. પણ તે દશા ન થાય ત્યાં સુધી તે આનંદ અનુભવી શકાય નહીં. દાખલા તરીકે એક માણસનું ધન ખોવાઈ ગયું | હોય તેથી તેને દુઃખનો અનુભવ થાય છે, ને તે ધન પાછું મળવાથી તે દુઃખનો નાશ થવા રૂપ શાંતિ થઈ. તેથી પોતે ધનપતિ થયો તે જાતનો આનંદ તેને થયા વગર રહેતો નથી. તેમજ આત્મધન બાબત વિચારશો. મેં ક્લોરોફોર્મ બાબત લખ્યું છે તેના જવાબમાં તમે તે જ લખવાના ૨૩૮ શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005579
Book TitleMoksh Marg Prakash
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1997
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy