________________
છો કે તેને આત્માના આનંદનો અનુભવ નથી થતો ને નિર્વિકલ્પવાળા છે પુરુષને તે આનંદનો અનુભવ થાય છે, તો તેના જવાબમાં જાણશો કે !
તમારા કહેવા મુજબ તે આનંદનો અનુભવ તો તેને તે નિર્વિકલ્પ છે. સમાધી ટકી શકે તેટલો વખત કે વધારે વખત ? તે સમાધિ તો છે,
ચોવીસ કલાક હોતી નથી, ને હોય છે બીજી પ્રવૃત્તિ થઈ શકે નહીં. અને આ તો ચોવીસે કલાકની નિર્વિકલ્પ સમાધિ હોઈ શકે છતાં મન- * વચન-કાયાના યોગે બીજી વ્યવહારિક પ્રવૃત્તિ કરે છે. છતાં આ નિર્વિકલ્પ
સમાધિ તો રહ્યા કરે તેવો કૃપાળુદેવનો લખવાનો આશય છે, તો તે છે જરૂર વિચારશો અને સમજાય તો લખશો.
એક બીજી વાત આ ઠેકાણે આપને વિચાર કરવાને માટે લખું છું ! જે તે વિચારશો.
આત્મા છે તે જ્ઞાનસ્વરૂપ છે અને જડ છે તે શેય સ્વરૂપ છે. હવે તે આત્માના જ્ઞાનમાં શેયનો પ્રતિભાસ થાય છે, તેને આપણે સંકલ્પવિકલ્પ કહીએ છીએ. જેમ દર્પણમાં અન્ય વસ્તુનું પ્રતિબિંબ પડે છે, તેમ આત્મામાં શેયનું પ્રતિબિંબ પડે છે, તેને સંકલ્પ વિકલ્પ માની જીવ
તે ન થવા માટે (તમે લખો છો તે નિર્વિકલ્પતા થવા માટે) પુરુષાર્થ કરે છે છે, પણ તેના માટે સયમસાર ગ્રંથમાં બનારસીદાસ નીચે મુજબ પદ છે કહે છે :
“ચોપાઈ જોયાકાર બ્રહ્મ મળ માને, નાશ કરનકો ઉદ્યમ ઠાને, વસ્તુ સ્વભાવ માટે નહીં ક્યોં હી, તો તે ખેદ કરે શઠ યહી. આનો અર્થ ટૂંકમાં,
હવે જોયાકાર આત્માનું જ્ઞાન થવાથી આત્માને મલીન માની તે શેયના પ્રતિભાસ બંધ થવાનો ઉદ્યમ કરે છે, પણ વસ્તુનો સ્વભાવ કોઈ દિવસ મરતો નથી તેથી અજ્ઞાની પુરુષ આત્મજ્ઞાનથી રહિત હોય છે તે અજ્ઞાનને શઠ (મૂર્ખ) કીધો છે અને તે અજ્ઞાની તેનો ખેદ કરે છે કે
બનારસીદાસ પણ આમ કહે છે.
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૩૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org