________________
હવે આ નિરવિકલ્પતા પા, અડધો કે એક-બે કલાકની તમે કહો કે છો. સમાધિઓ માણસ ચોવીસ ચોવીસ કલાકની ચડાવે છે, એટલે પવનને ચડાવી બ્રહ્મચંદ્રમાં રૂંધી દે છે. ત્યાં મન પણ મૂછિત થઈ જાય છે તો પણ જ્ઞાની પુરુષોએ તેને સ્વરૂપ સ્થિતિ ગણી નથી અને છે પણ નહીં. તો આ નિર્વિકલ્પતામાં શું ગણવું? માટે જ નિરવિકલ્પતાને સ્વરૂપ સ્થિતિ જ્ઞાની પુરુષે કહી છે. તે નિર્વિકલ્પતા કેવા પ્રકારે હોય ?તે વિચારી જેમ લાગે તેમ લખશો. તમારો આ બાબતમાં શું અભિપ્રાય છે તે જાણવા માટે લખશો.
આંક ૩૦૧-૩૯ર વાંચશો અને વિચારશો આમાં તમે જે અહંકારની 4નિવૃત્તિ થવા કહો છો તે નિવૃત્તિ થવાની કુંચી બતાવેલ છે.
આંક ૩૫૦ની પહેલી બે લીટી જ વિચારશો. તેમાં લખ્યું છે કે : * “આત્મસમાધિપૂર્વક યોગ ઉપાધી રહ્યા કરે છે.'
આ બાબતમાં આત્માના સ્વરૂપ પ્રત્યેની સમાધિ કીધી છે. યોગ ઉપાધી એટલે મન-વચન-કાયાના યોગ બાબતની ઉપાધી કીધી, તો હવે આ મન-વચન-કાયાની-યોગની ઉપાધી હોવા છતાં, આત્મસ્વરૂપ પ્રત્યેની સમાધિ છે, તેવું જણાય છે. તો તે માટે તમો વિચાર કરશો કે મન-વચન-કાયાના યોગની ઉપાધી આત્મ સમાધિને બાધ કેમ નહીં કરી શકતી હોય ? માટે વિચારવાનું છે કે મન-વચન-કાયાના યોગની જ ઉપાધીની પ્રવૃત્તિ (સંકલ્પ-વિકલ્પ તથા સારા-નઠારા જે જે મનમાં વિચારો આવે છે તથા શુભાશુભ ભાવ આદિ પ્રવૃત્તિ) તે જો સંપૂર્ણપણે આત્મા વીતરાગ દશામાં રહીને પ્રવૃત્તિ કરે તો તે પ્રવૃત્તિ આત્માની સમાધિને બાધ કરી શકતી નથી કારણ કે આત્મસમાધિ વીતરાગ દશામાં સમાયેલી છે. વીતરાગ દશા એટલે રાગ વિનાની પ્રવૃત્તિ, એટલે તે પ્રવૃત્તિના કાર્યમાં અહમ્-મમત્વપણું રહીતની જે પ્રવૃત્તિ પૂર્વેના પ્રારબ્ધ યોગથી કરવી પડે છે, અને તે પ્રવૃત્તિ કરતા જીવ તેની નિવૃત્તિને ભજ્યા કરે છે, તે વીતરાગ દશા છે. આને માટે આંક ૩૨૪ એ પત્ર વાંચશો.
થી સાભાગ્યભાળ અને સારા )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org