________________
તા. ક. તમારું ત્રીજું કવર મળ્યું, શરીરની હકીકત બધી જાણી, પણ તે બાબત નિરૂપાયતા છે ત્યાં શું કરવું ? દેહની દશા તેવી છે તેથી તે 1 પરમાર્થ માર્ગ આરાધવામાં તમને જે હરકત લાગે છે તે તમારી સમજ !
ફેરને લીધે લાગે છે. જેને સત્ જ પ્રાપ્ત કરવું છે તે તો સરળ છે, જે સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ છે તેમ કૃપાળુદેવે ઠેકાણે ઠેકાણે લખેલ
છે. તો તે બાબત તમો લખો છો તે અડચણને લીધે ન જ બની શકે ? છે તેવું કાંઈ નથી. . હવે એક જ આસને બેસીને તમો લખો છો તેમ નિર્વિકલ્પ થવાય
તો જ આત્મસ્વરૂપ પમાય અથવા આનંદ અનુભવાય તેવું અમને તો લાગતું નથી. જો કે પરમાર્થ માર્ગ આરાધવાનું સાધન આ મનુષ્ય દેહ છે. અને તેમાં જીવે સ્વપણાનો અધ્યાસ સુદ્રઢપણે કર્યો હોવાથી તે સ્વસ્થ અને સગવડવાળો હોય તો વધારે ઠીક પડે ખરું. પણ તેમ ન જ હોય તો આત્મહિત ન જ બને તેવું તો લાગતું નથી.
આત્મહિતની પ્રવૃત્તિ બધા આંતરિક વિચારોની અને નિર્મોહિપણાની તેમ જ વીતરાગ દશાએ દૃષ્ટિફેર કરવાની જરૂ૨) છે. ભલે દેહ ગમે તેમ પડ્યો હોય તો પણ તેમાં ઉપયોગ નહિ આપતા, આંતરિક વિચાર શ્રેણીમાં બાદ આવે નહીં. એક મહાત્માએ કહ્યું છે કે :
દોહરો “રે નર ચિંતા મત કર, કર લે બ્રહ્મ વિચાર,
દેહ સોંપ પ્રારબ્ધ કું, જાણે લોહ લુહાર.” માટે તે તો પ્રારબ્ધ આધીન જ વાત છે. અને ખરી અસંગ દશા તે તો આરંભ અને પરિગ્રહનો ત્યાગ તેમાં સમાયેલી છે.
હવે આરંભ અને પરિગ્રહને માટે ટુંકમાં સમજશો કે સંસારી વૈભવો વધારવાનાં મનના ઉદ્ગારો, તે આરંભ છે. તે તો તમને ઘણા પ્રકારે ઘટ્યા છે, અને પરિગ્રહ આ દેહમાં જે દેહાત્મ બુદ્ધિને લીધે સરાગપણે પ્રવૃત્તિ, અહમ્, મમત્વપણું તે પરિગ્રહ છે. તે પણ ઘણા
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org