________________
વિશેષ આપ જરૂર માનશો કે જ્યાં સુધી માયીક પદાર્થો પ્રત્યે મોહ ? છે, સંસાર સુખની અલ્પ પણ ઇચ્છા છે, તેમાં મીઠાશ લાગે છે ત્યાં 1 સુધી તે ભક્તિની લય આવવી મુશ્કેલ છે. અમને, તમને અને સર્વે ?
મુમુક્ષુઓને જ્યારે રાત-દિવસ આજ રટના રહેશે, બીજું કાંઈ ગમશે નહિ, કોઈનાથી બોલવું, ચાલવું, વાત પણ નહિ ગમે માત્ર એક હરિના સ્વરૂપને જ પ્રાપ્ત કરવા સિવાય બીજી કોઈ પણ જાતની સ્પૃહા નહિ રહે. માત્ર એક હરિનું સ્વરૂપ કે હરિના જનના સંગ વિના મન કોઈ ઠેકાણે નહિ ઠરે, ત્યારે તે ભેદ ખુલવાનો છે ને પરાભક્તિ પ્રાપ્ત થયા વિના તે હરિનું સ્વરૂપ પમાતું નથી. મીરાંબાઈ, નરસિંહ
મહેતા, કબીર સાહેબ, લાલજી મહારાજ વગેરે જે જે પુરૂષો થયા છે છે. તેઓ તેમ કરી તેના સ્વરૂપને પામેલા છે. તેમના જેવો પ્રેમ આપણામાં છે
છે ? તે વિચારશો. આપણે તો પહેલું સંસાર વૈભવનું સાચવી તેમાં ક ખામી ન આવે તેવી રીતે વચલા ગાળામાં જો બને તો કાંઈક તે સંબંધી જ
વાંચન કે વિચાર કરવો અને તે પણ બહુ જ ટુંકો સમય પછી ત્યાંથી ઉઠ્યા પછી તે કાંઈ નહિ. માયાની જાળમાં તદાકાર બની તે નચાવે તેમ નાચવું છે અને હરિના સ્વરૂપને પામવું છે તે કેમ બને ? આપણને એક એવી ટેવ પડી ગઈ છે કે કેવળજ્ઞાન સુધીની વાતને સમજી લેવાની ઇચ્છા છે, પણ સમ્યકજ્ઞાન સુધીની દશા પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી, સહેજસાજ થાય તો સત્સંગની ખામી, પોતાને યથાર્થ છે બોધની ખામી, વીર્યની મંદતા અને માયીક પદાર્થો પ્રત્યે મોહ, આ છે
બધા તે ઇચ્છાને તોડી પાડી વિઘ્નરૂપ બને છે. ભાઈશ્રી આ માર્ગ પૂરેપૂરા શૂરાનો છે. જરા પણ કાયરતાનો નથી. રાત ને દિવસ જેને અંતરંગમાં લાગી રહે, બીજા કોઈ પદાર્થોમાં મીઠાશ ન લાગે, સંસાર દાવાનળ લાગે, કુટુંબના કે જ્ઞાતિના કામ ઝેર સમાન લાગે, આ એક છે. જ જાતની ધુન અહોનિશ લાગી રહે ત્યારે હરિનું સ્વરૂપ પમાય અને તે
તેમ રહેવામાં સર્વોપરી સાધન સપુરુષ અને તે ન હોય તો સત્સંગ જ એમ બે છે. માટે ઝાઝું જાણવા કરતા થોડી પણ દશા પ્રાપ્ત કરો તો જ | બધા ભેદ ખુલી જશે. માર્ગે ચાલ્યા વિના કોઈ રીતે ઇચ્છિતની પ્રાપ્તિ નથી. વિચાર એટલે કે (કોઈ પણ જાતનો ખુલાસો) સમજવાથી યથાર્થ જ શાંતિ થતી નથી. પણ ખરો શાંતિ માર્ગ મળ્યો હોય તો જીવે બીજી
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૬૩
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org