________________
I
w
જ એક વર્ષ પછી લેવામાં આવી. તેમાં પણ તેઓ બેઠા અને પ્રથમ
નંબરે પાસ થયા અને તે વખતે પણ બહુમાન કરી ઇનામ આપવામાં
આવ્યું હતું. કે આ શુલ્લક ઇનામ કરતાં અનેકગણું મૂલ્યવાન પારિતોષિક તો એ છે મળ્યું કે આધ્યાત્મિક માર્ગ પ્રત્યેની રૂચિ બળવત્તર બની.
ઉપરોક્ત બંને પરીક્ષા અખિલ ભારતના ધોરણે લેવાઈ હતી. જેમાં તેઓને પ્રથમ નંબર પ્રાપ્ત થતા તેમના આ ગૌરવભર્યા પરિણામથી રાજકોટમાં જ્યુબીલી ટાઉનહોલમાં તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું અને ઇનામ પણ આપવામાં આવ્યું. ' સંસ્થાની સેવા કરવા માટે પણ તેમની પસંદગી કરવામાં આવી હતી અને મંગળાચરણમાં તેઓનું ડેપ્યુટેશન ધ્રોળ, પોરબંદર, જેતપુર,
વેરાવળ થઈ ૧૫ દિવસની મુસાફરી કરી રાજકોટ શાળામાં દાખલ છે. થઈ ગયા.
હવે હાઈસ્કુલના વિદ્યાર્થી થયા અને પાંચમા ધોરણની પરીક્ષામાં પણ પ્રથમ નંબરે જ પાસ થયા. આ અરસામાં ગાંધીજીની ચળવળનું જોર પણ વધતું જતું હતું તેથી એક વખત કપડાની હોળીમાં વિલાયતી ટોપી બાળી નાખી અને ત્યારથી ખાદી પહેરવાની શરૂ કરી. છઠ્ઠા ધોરણમાં આવ્યા અને ત્યાં તેમનો ભવિષ્યનો નિર્ણય થવાનો હતો. આ પિતાશ્રીને ખૂબ જ સમજાવ્યા પણ તેમણે તથા માતુશ્રીએ કહ્યું કે માથું 1 પટકીને મરી જા તો પણ મેટ્રીક પછી આગળ ભણવાનું નથી. આ જ નિર્ણયનું કારણ એ હતું કે જ્યારે અખિલ ભારત જૈનની પરીક્ષામાં પહેલે નંબરે આવ્યા અને તેમનું બહુમાન થયું ત્યારે તેમના માતાપિતાને કોઈએ કહ્યું કે જો આગળ ભણાવસો તો કાં તો આ છોકરો સાધુ થઈ જશે અને કાં તો વિલાયત જશે.
હવે તેઓનું મંથન શરૂ થયું કે મેટ્રીક થઈને એક કલાર્કની લાયકાત છે મેળવવી તેના કરતા કોમર્શીયલ લાઈન લેવી. હેડ માસ્તરે બે ત્રણ કલાક સમજાવ્યા કે “તમારા જેવા વિદ્યાર્થી આ શાળામાં આવ્યા નથી
૩૮૦
શ્રી સોભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org