________________
છે છતાં સાતમાં ધોરણના લેખા-ગણીતમાં આગળ આવી જતાં મતલબ છે કે આખી નિશાળમાં તેઓ પહેલાં આવતા. શાળાના આચાર્ય શ્રી
ગુલાબચંદભાઈ માસ્તર તે બંને ભાઈઓ તરફ માયાળુપણે વર્તતા હતા. આટલા હોંશીયાર હોવા છતાં અન્ય માણસોને આનંદ કરતા જોતા ત્યારે તેમને અભ્યાસ કરવો એ વેઠ જેવું લાગતું અને નિશાળ ! એક કેદખાના જેવી લાગતી.
આ સમય દરમ્યાન ચોરવીરામાં નિશાળ થઈ અને તેઓ સરા ગામની નિશાળ છોડીને ત્યાં ત્રીજા ધોરણમાં દાખલ થયા. તે જમાનામાં આંક, ગણિત, પાઠ, કવિતા એ મુખ્ય વિષય હતા. તે નિશાળના છોટાલાલ માસ્તરનો ભણાવવા માટેનો અંત પણ ઓર પ્રકારનો હતો. છે
ચોરવીરા ગામે ચાર ધોરણ પૂરા કર્યા અને રાજકોટની દશાશ્રીમાળી વણીક જૈન બોર્ડિંગમાં બાર વર્ષની ઉંમરે દાખલ થયા અને ત્યાં કરણસિંહજી મીડલ સ્કુલમાં દાખલ થઈ અભ્યાસ શરૂ કર્યો. ભણવામાં શરૂઆતથી જ તેજસ્વી તો હતા જ અને તેમાં રાજકોટ આવ્યા બાદ વધારે સુવિધા મળવાથી તેમનું તેજ દિનપ્રતિદિન વધવા લાગ્યું અને તે તેઓશ્રી તેમના શિક્ષકના એક વહાલસોયા શિષ્ય બની રહ્યા. અભ્યાસમાં
ઓતપ્રોત રહીને પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થતા અને પ્રથમ નંબર : તેઓશ્રીએ આખર સુધી જાળવી રાખ્યો હતો. વળી ધાર્મિક વિદ્યાની છે પરીક્ષામાં પણ તેમનો પ્રથમ નંબર જ હોય.
બાળવયની ધર્મભાવના દિનપ્રતિદિન એટલી બધી પ્રબળ થવા લાગી કે તેમની ૧૭ વર્ષની ઉંમર થઈ તે અરસામાં જૈન ધર્મની અખિલ ભારતીય પરીક્ષામાં તેઓશ્રીએ બેસવાનું નક્કી કર્યું અને તે નિમિત્તે તેમણે “મોક્ષમાળા” કે જે આ પરીક્ષા માટે પાઠ્યપુસ્તક તરીકે નિર્ણિત કરવામાં આવ્યું હતું તેનો અભ્યાસ-અધ્યયન કરવાનો અવસર પ્રાપ્ત થયો. આ પરીક્ષાના પરીક્ષક જન્મભૂમિવાળા શ્રી અમૃતલાલ દલપતભાઈ શેઠ હતા.
“આત્માને ઓળખો” એ પુસ્તકને આધારિત એક બીજી પરીક્ષા
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
૩૭૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org