________________
પ્રકરણ-૧
શ્રીમદ્દ મળતાં પહેલાંના શ્રી સોભાગ :
સૌરાષ્ટ્રમાં “ભગતનાં ગામ” તરીકે જાણીતા સાયલા ગામમાં શ્રી લલ્લુભાઈ નામે નામાંકિત શેઠ રહેતા હતા. પ્રસંગવશાત્ ધનસંપત્તિ ચાલી જતાં એમણે વિચાર કર્યો કે, મારવાડના સાધુ મંત્રવિદ્યા વગેરેમાં પ્રવીણ કહેવાય છે. તેમાંના કોઈની કૃપાથી સંપત્તિ પુન: પ્રાપ્ત થાય એવી ભાવનાથી મારવાડમાં કોઈ પ્રખ્યાત સાધુની સેવા કરી પ્રસન્ન કર્યા. એકાન્તમાં પોતાની આર્થિક સ્થિતિ જણાવી. તે કંઈક સુધરે એવો ઉપાય બતાવવા વિનંતિ કરી. તે અધ્યાત્મપ્રેમી સાધુએ શેઠ લલ્લુભાઈને
પકો આપતાં કહ્યું “આવા વિચક્ષણ થઈ તમે આત્માની વાત પામવાની ઇચ્છાને બદલે આવી માયાની વાત કરી તે તમને ઘટે નહીં.”
સાધુનો આશય વિચક્ષણ શેઠ લલ્લુભાઈ સમજી ગયા ને “બાપજી મારી ભૂલ થઈ, મારા આત્માનું કલ્યાણ થાય એવું બતાવો એમ | વિનંતિ કરી.
તેમના ઉપર કૃપા કરી તે સાધુએ “બીજજ્ઞાન” સાધન આપ્યું અને જણાવ્યું કે કોઈ યોગ્ય પુરુષને આપશો તો હિતનું કારણ થશે. આ“બીજજ્ઞાન” તેઓશ્રીએ તેમના પુત્ર સોભાગને આપ્યું હતું. મેં
પૂ. શ્રી કૃપાળુદેવને અગિયારમે ગુણસ્થાનકેથી પડવાનો પોતાનો જ અનુભવ થયો હતો એમ તેઓશ્રી જણાવે છે. જેથી આ જ્ઞાનની જરૂર જ હતી તે વિગત તેઓશ્રી તેમના પત્ર નં. ૧૭૦ના છેલ્લેથી ત્રીજા પેરામાં જણાવે છે જે લખાણ અક્ષરશ: નીચે આપેલ છે :
ગુણઠાણાં એ સમજવા માટે કહેલાં છે. ઉપશમ અને ક્ષેપક એ બે જ જાતની શ્રેણી છે. ઉપશમમાં પ્રત્યક્ષ દર્શનનો સંભવ નથી; ક્ષેપકમાં છે. પ્રત્યક્ષ દર્શનના સંભવના અભાવે અગિયારમેથી જીવ પાછો વળે છે. ઉપશમ શ્રેણી બે પ્રકારે છે. એક આજ્ઞારૂપ; એક માર્ગ જાણ્યા વિના સ્વાભાવિક ઉપશમ થવા રૂપ. આજ્ઞારૂપ પણ આજ્ઞા આરાધન સુધી
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૧૮૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org