SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ D પત્ર ક્રમાંક ૧૭૬ઃ સો. 9 ભવસ્થિતિની પરિપક્વતા થયા વિના, દીનબંધુની કૃપા વિના, કે સંતના ચરણ સેવ્યા વિના ત્રણે કાળમાં માર્ગ મળવો દુર્લભ છે. દીનબંધુની દૃષ્ટિ જ એવી છે કે છૂટવાના કામીને બાંધવો નહીં, આ છે. બંધાવાના કામીને છોડવો નહીં. અહીં વિકલ્પી જીવને વિકલ્પ ઊઠે કે જીવને બંધાવું ગમતું નથી, સર્વને છૂટવાની ઇચ્છા છે, તો પછી બંધાય જ છે કાં ? એ વિકલ્પની નિવૃત્તિ એટલી જ છે કે, એવો અનુભવ થયો એ છે કે, જેને છૂટવાની દઢ ઇચ્છા થાય છે, તેને બંધનનો વિકલ્પ મટે છે; 1 અને એ આ વાર્તાનો સત્સાક્ષી છે. મહાવીર દેવે આ કાળને પંચમકાળ કહી દુષમ કહ્યો. વ્યાસે કળિયુગ છે કહ્યો, એમ ઘણા મહાપુરુષોએ આ કાળને કઠિન કહ્યો છે; એ વાત નિઃશંક સત્ય છે. કારણ, ભક્તિ અને સત્સંગ એ વિદેશ ગયાં છે. અર્થાત્ સંપ્રદાયોમાં રહ્યાં નથી અને એ મળ્યા વિના જીવનો છૂટકો નથી. આ કાળમાં મળવા દૂષમ થઈ પડ્યાં છે, માટે કાળ પણ દુષમ છે તે વાત યથાયોગ્ય જ છે. દુષમને ઓછા કરવા આશિષ આપશો. ઘણુંય જણાવવાની ઇચ્છા થાય છે, પણ લખવાની કે બોલવાની ઝાઝી ઇચ્છા રહી નથી. ચેષ્ટા ઉપરથી સમજાય તેવું થયા જ કરો, એ ઇચ્છના નિશ્ચળ છે. પત્ર ક્રમાંક ૧૮૭ઃ સો. ( પ્રાપ્ત થયેલા સસ્વરૂપને અભેદભાવે અપૂર્વ સમાધિમાં સ્મરું છું. * 2પમીદ છે જ છે જ છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા આ રહી નથી. જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે. સર્વ પ્રકારનો એક ઝાડ, ચુત ૨૨ મોક્ષમાર્ગ પ્રકાશ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005579
Book TitleMoksh Marg Prakash
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1997
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy