________________
D પત્ર ક્રમાંક ૧૭૬ઃ સો. 9 ભવસ્થિતિની પરિપક્વતા થયા વિના, દીનબંધુની કૃપા વિના, કે સંતના ચરણ સેવ્યા વિના ત્રણે કાળમાં માર્ગ મળવો દુર્લભ છે.
દીનબંધુની દૃષ્ટિ જ એવી છે કે છૂટવાના કામીને બાંધવો નહીં, આ છે. બંધાવાના કામીને છોડવો નહીં. અહીં વિકલ્પી જીવને વિકલ્પ ઊઠે કે
જીવને બંધાવું ગમતું નથી, સર્વને છૂટવાની ઇચ્છા છે, તો પછી બંધાય જ છે કાં ? એ વિકલ્પની નિવૃત્તિ એટલી જ છે કે, એવો અનુભવ થયો એ છે કે, જેને છૂટવાની દઢ ઇચ્છા થાય છે, તેને બંધનનો વિકલ્પ મટે છે; 1 અને એ આ વાર્તાનો સત્સાક્ષી છે.
મહાવીર દેવે આ કાળને પંચમકાળ કહી દુષમ કહ્યો. વ્યાસે કળિયુગ છે કહ્યો, એમ ઘણા મહાપુરુષોએ આ કાળને કઠિન કહ્યો છે; એ વાત નિઃશંક સત્ય છે. કારણ, ભક્તિ અને સત્સંગ એ વિદેશ ગયાં છે. અર્થાત્ સંપ્રદાયોમાં રહ્યાં નથી અને એ મળ્યા વિના જીવનો છૂટકો નથી. આ કાળમાં મળવા દૂષમ થઈ પડ્યાં છે, માટે કાળ પણ દુષમ છે તે વાત યથાયોગ્ય જ છે. દુષમને ઓછા કરવા આશિષ આપશો. ઘણુંય જણાવવાની ઇચ્છા થાય છે, પણ લખવાની કે બોલવાની ઝાઝી ઇચ્છા રહી નથી. ચેષ્ટા ઉપરથી સમજાય તેવું થયા જ કરો, એ ઇચ્છના નિશ્ચળ છે.
પત્ર ક્રમાંક ૧૮૭ઃ સો. ( પ્રાપ્ત થયેલા સસ્વરૂપને અભેદભાવે અપૂર્વ સમાધિમાં સ્મરું છું. * 2પમીદ છે જ છે જ છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા આ રહી નથી. જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે. સર્વ પ્રકારનો એક
ઝાડ, ચુત
૨૨
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org