________________
દેશ બાદ કરતાં બાકી સર્વ અનુભવાયું છે. એક દેશ સમજાયા વિના આ રહ્યો નથી; પરંતુ યોગ (મન, વચન, કાયા)થી અસંગ થવા વનવાસની છે ' આવશ્યકતા છે; અને અમ થયે એ દેશ અનુભવાશે, અર્થાત્ તેમાં !
જ રહેવાશે; પરિપૂર્ણ લોકાલોકજ્ઞાન ઉત્પન્ન થશે, અને એ ઉત્પન્ન કેમ થશે ? એ વળી આશ્ચર્યકારક છે ! પરિપૂર્ણ સ્વરૂપજ્ઞાન તો ઉત્પન્ન થયું જ છે; અને એ સમાધિમાંથી નીકળી લોકાલોકદર્શન પ્રત્યે જવું કેમ બનશે ? એ પણ એક મને નહીં પણ પત્ર લખનારને વિકલ્પ થાય છે !
કણબી અને કોળી જેવી જ્ઞાતિમાં પણ માર્ગને પામેલા થોડા વર્ષમાં - ઘણા પુરુષો થઈ ગયા છે, તે મહાત્માઓની જનમંડળને અપિચ્ચાન
હોવાને લીધે કોઈક જ તેનાથી સાર્થક સાધી શક્યું છે, જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો, એ કેવી ઈશ્વરી અદ્ભુત નિયતિ છે ?
એઓ સર્વ કાંઈ છેવટના જ્ઞાનને પ્રાપ્ત થયા નહોતા; પરંતુ તે મળવું તેમને બહુ સમીપમાં હતું. એવા ઘણા પુરુષોનાં પદ વગેરે અહીં જ જોયાં. એવા પુરુષો પ્રત્યે રોમાંચ બહુ ઉલ્લસે છે; અને જાણે નિરંતર છે તેવાની ચરણસેવા જ કરીએ; એ એક આકાંક્ષા રહે છે. જ્ઞાની કરતાં
એવા મુમુક્ષુ પર અતિશય ઉલ્લાસ આવે છે, તેનું કારણ એ જ કે તેઓ છે. જ્ઞાનીના ચરણને નિરંતર સેવે છે, અને એ જ એમનું દાસત્વ અમારું છે ' તેમના પ્રત્યે દાસત્વ થાય છે, તેનું કારણ છે. ભોજો ભગત, નિરાંતે ! કોળી ઇત્યાદિક પુરુષો યોગી (પરમ યોગ્યતાવાળા) હતા. નિરંજનપદને
બૂઝનારા નિરંજન કેવી સ્થિતિમાં રાખે છે, એ વિચારતાં અકળગતિ * પર ગંભીર, સમાધિયુક્ત હાસ્ય આવે છે ! હવે અમે અમારી દશા કોઈ
પણ પ્રકારે કહી શકવાના નથી, તો લખી ક્યાંથી શકીશું ? આપના દર્શન થયે જે કંઈ વાણી કહી શકશે તે કહેશે, બાકી નિરૂપાયતા છે. (કંઈ) મુક્તિયે નથી જોઈતી, અને જૈનનું કેવળજ્ઞાનેય જે પુરુષને નથી જાઈતું, તે પુરુષને પરમેશ્વર હવે કયું પદ આપશે ? એ કંઈ આપના વિચારમાં આવે છે ? આવે તો આશ્ચર્ય પામજો, નહીં તો અહીંથી તો જ કોઈ રીતે કંઇયે બહાર કાઢી શકાય તેમ બને તેવું લાગતું નથી.
(
શ્રી શwો શાણાર્સલ મૂધરભાઈ શેઠ
૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org