________________
ને પુરુષાર્થ વધવાનું જાણી ખુબ સંતોષ થયો.
સંસાર સંબંધી ઘણા પ્રકારની સ્પૃહા ઉત્પન્ન થાય છે. તે તરફ વૃત્તિઓ ખેંચાય છતાં એ બધાનો મેળ કરી આપણે જ્ઞાન સ્વરૂપ * આત્મા તદ્દન ભિન્ન અને અસંગ છે એવી સતતું જાગૃતિ રાખવી એ જ છે પુરુષાર્થ છે. એ જ
દઃ છોટાલાલ દેસાઈ | ) પત્ર નં. ર૬
સાયલા, તા. ૨૩-૯-૧ - ચિ. ભાઈ જીતેન્દ્ર, મુંબઈ
તમારો પત્ર મળ્યો વાંચી આનંદ. આપણો જ્ઞાનસ્વરૂપ આત્મા છે સ્થૂળ શરીરની ક્રિયાથી તથા પાંચ ઇન્દ્રિયો અને મનની ક્રિયાથી સમયે સમયે જ્ઞાનસ્વરૂપ જૂદા છીએ, એવી જાગૃતિ રાખવાની દેહબુદ્ધિ ટળતી જાય છે, અને આત્મબુદ્ધિ દઢ થતી જાય છે. સૌ જ્ઞાનીઓનો આ એક જ માર્ગ છે. આવા નિરંતર આરાધનાથી શરીરની ક્રિયા તરફ ઉદાસીન ભાવ રહેશે અને સંસારના સર્વે પદાર્થો નીરસ લાગશે.
દઃ છોટાલાલના શુભાશીષ | 0 પત્ર નં. ૨૭ જ
સાયલા, તા. ૭-૫-૭૨ ભાઈ શ્રી ઈશ્વરભાઈ, સાયન
તમારો કાગળ વાંચી આનંદ થયો છે. સવારમાં ઊંઘમાંથી ઉઠીયે ત્યારથી સ્થૂળ શરીર તથા પાંચ જ્ઞાનેન્દ્રિય અને મનની જે ક્રિયા સમયે સમયે થાય છે તેનું જ્ઞાન પણ સાથે સાથે થાય છે એટલે આપણે જ્ઞાનસ્વરૂપ આત્મા છીએ અને બન્ને શરીરની ક્રિયાથી ભિન્ન તથા : અસંગ છીએ આવી જાગૃતિ વધારવાની જરૂર છે. એક બાજુ જ્ઞાનધારા છે
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૩૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org