________________
જ્ઞાની પુરૂષો જેઓને સમકિત થયા પછી જ્ઞાનધારા વિશેષ શુદ્ધ થયેલ છે. કર્મના અન્ઉદયમાં તેઓનો સમય વરતી અંશ-દ્રવ્યને એટલે અંશીને અથવા સામાન્ય સત્તાને જ ખ્યાલમાં લે છે મતલબ તે વખતે તેઓની ચેતના નિરાકાર ચેતના કહેવાય-દર્શન ચેતના કહેવાય.
આવા જ્ઞાનીઓ કર્મના ઉદયમાં તેઓની શુદ્ધ જ્ઞાન ચેતના કર્મના ઉદયથી જાગૃત રહી ભિન્નપણે અનુભવી ને શુદ્ધ સાકાર ચેતના કહેવાય. અથવા શુદ્ધ જ્ઞાન ચેતના કહેવાય. તેઓ પોતાનો પાતળો પડેલો ચારિત્રમોહ પણ શુદ્ધ જ્ઞાનનું ધ્યાન છૂટચા વગર અનુભવતા હોય.
૩૬૨
દર્શનમોહ વ્યતીત થઈ ઉપન્યો બોધ જે દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું ભાન જે તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ અવલોકીએ વરતે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો.
- શ્રીમદ્ રાજચંદ્રજી
ઘણુંય લખવાનું મન થાય છે પણ કાગળમાં કેટલુંક લખાય ? દઃ છોટાલાલના શુભાશીષ
O ૫ત્ર નં. ૫૪ વ્ઝ
આત્માર્થી ભાઈ છોટાલાલભાઈ, કલકત્તા. જ્ઞાન ચેતના, કર્મ ચેતના, કર્મફળ ચેતના
દેહધારી પણે શુભાશુભ કર્મનો ઉદય રહ્યો છે અને તેનું ફળ સુખ દુ:ખ કહ્યું છે. કર્મના શુભ અશુભ ઉદય વખતે આપણે જાગૃત રહેવું જોઈએ જે આપણે તે ઉદયથી ભિન્ન છીએ અને ઉદયના ફળ સુખ દુઃખથી પણ ભિન્ન છીએ. જાગૃતિ ન હોય તો શુભાશુભ કર્મના ઉદયમાં પોતાપણું મનાય. શુભ ઉદય પ્રત્યે રાગ બુદ્ધિ થાય અશુભ ઉદય પ્રત્યે દ્વેષ બુદ્ધિ થાય.
Jain Education International
સાયલા, તા. ૨૭-૬-૬૮
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
www.jainelibrary.org