________________
' જીવ કલ્યાણમાર્ગથી થોડો વેગળો હોય તો તો કોઈક દિવસ કલ્યાણ પામે, પણ જ્યાં સાવ ઊંધે રસ્તે હોય ત્યાં ક્યાંથી પાર પામે ?
તરવાનો કામી હોય તે માથું કાપીને આપતાં પાછો હઠે નહીં, શિથિલ હોય તે સહેજ પગ ધોવા જેવું કુલક્ષણ હોય તે પણ મૂકી શકે [ નહીં, અને વીતરાગની વાત મેળવવા જાય. વીતરાગ જે વચન કહેતા | ડર્યા છે તે અજ્ઞાની સ્વચ્છેદે કરી કહે છે; તો તે કેમ છૂટશે ?
મહાવીરસ્વામીના દીક્ષાના વરઘોડાની વાતનું સ્વરૂપ જો વિચાર તો છે વૈરાગ્ય થાય. એ વાત અદ્દભુત છે. તે ભગવાન અપ્રમાદી હતા. તેઓને | ચારિત્ર વર્તતું હતું, પણ જ્યારે બાહ્યચારિત્ર લીધું ત્યારે મોક્ષે ગયા.
પ્રશ્ન : સત્પરુષ કેમ ઓળખાય ? ઉત્તર : સત્પરુષો તેમનાં લક્ષણોથી ઓળખાય.
સપુરુષોનાં લક્ષણો :- તેઓની વાણીમાં પૂર્વાપર અવિરોધ હોય, તેઓ ક્રોધનો જે ઉપાય કહે તેથી ક્રોધ જાય. માનનો જે ઉપાય કહે તેથી માન જાય, જ્ઞાનીની વાણી પરમાર્થરૂપ જ હોય છે, તે અપૂર્વ છે. જ્ઞાનીની વાણી બીજા અજ્ઞાનીની વાણીની ઉપર ને ઉપર જ હોય.
જ્યાં સુધી જ્ઞાનીની વાણી સાંભળી નથી ત્યાં સુધી સૂત્રો પણ છાશબાકળાં જેવાં લાગે. સદ્ગુરુ અને અસદ્ગુરુનું ઓળખાણ, સોનાની અને પિત્તળની જ કંઠીના ઓળખાણની પેઠે થવું જોઈએ. તરવાના કામી હોય, અને સદ્ગુરુ મળે, તો કર્મ ટળે. સદ્ગુરુ કર્મ ટાળવાનું કારણ છે. કર્મ બાંધવાનાં કારણો મળે તો કર્મ બંધાય, અને કર્મ ટાળવાનાં કારણો મળે તો કર્મ ટળે. તરવાના કામી હોય તે ભવસ્થિતિ આદિનાં આલંબન ખોટાં કહે છે. તરવાના કામી કોને કહેવાય ? જે પદાર્થને જ્ઞાની ઝેર કહે તેને ઝેર જાણી મૂકે, અને જ્ઞાનીની આજ્ઞા આરાધે તેને તરવાના જ કામી કહેવાય.
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૪૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org