________________
નિજ સ્વભાવજ્ઞાનમાં કેવળ ઉપયોગે, તન્મયાકાર, સહજસ્વભાવે,
નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે ‘કેવળજ્ઞાન' છે. તથારૂપ પ્રતીતિપણે પરિણમે તે ‘સમ્યક્ત્વ’ છે. નિરંતર તે પ્રતીતિ વર્ત્યા કરે તે ‘ક્ષાયિકસમ્યક્ત્વ, કહીએ છીએ. ક્વચિત મંદ, ક્વચિત તીવ્ર, ક્વચિત વિસર્જન, ક્વચિત્ સ્મરણરૂપ એમ પ્રતીતિ રહે તેને ‘ક્ષયોપશમ સમ્યક્ત્વ' કહીએ છીએ. તે પ્રતીતિને સત્તાગત આવરણ ઉદાય આવ્યાં નથી, ત્યાં સુધી ‘ઉપશમ સમ્યક્ત્વ કહીએ છીએ. આત્માને આવરણ ઉદય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય છે, તેને ‘સાસ્વાદન સમ્યક્ત્વ’ કહીએ છીએ. અત્યંત પ્રતીતિ થવાના યોગમાં સત્તાગત અલ્પ પુદ્ગલનું વેદવું જ્યાં રહ્યું છે. તેને ‘વેદક સમ્યકૃત્વ' કહીએ છીએ. તથારૂપ પ્રતીતિ થયે અન્યભાવ સંબંધી અહંમમત્વાદિ, હર્ષ શોક કમે કરી ક્ષય થાય. મનરૂપ યોગમાં તારતમ્ય સહિત જે કોઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે; અને જે સ્વરૂપસ્થિરતા ભજે તે ‘સ્વભાવસ્થિતિ' પામે છે નિરંતર સ્વરૂપલાભ, સ્વરૂપાકાર ઉપયોગનું પરિણમન એ આદિ સ્વભાવ અંતરાયકર્મના ક્ષયે પ્રગટે છે. કેવળ સ્વભાવ પરિણામી જ્ઞાન તે ‘કેવળજ્ઞાન' છે.
ō ઉપદેશ છાયા ૧૧ બ
કનકવાની દોરી જેમ હાથમાં છે તેમ સમકિતષ્ટિના હાથમાં તેની વૃત્તિરૂપી દોરી છે. સમકિતદષ્ટિ જીવને સહજસમાધિ છે. સત્તામાં કર્મ રહ્યાં હોય, પણ પોતાને સહજ સમાધિ છે. બહારનાં કારણોથી તેને સમાધિ નથી.
સાચા પુરુષનો બોધ પ્રાપ્ત થવો તે અમૃત પ્રાપ્ત થવા બરોબર છે. અજ્ઞાની ગુરુઓએ બિચારા મનુષ્યોને લૂંટી લીધા છે. કોઈ જીવને ગચ્છનો આગ્રહ કરાવી, કોઈને મતનો આગ્રહ કરાવી, ન તરાય એવાં આલંબનો દઈને સાવ લૂંટી લઈ મૂંઝવી નાંખ્યા છે; મનુષ્યપણું લૂંટી લીધું છે.
૧૪૮
Jain Education International
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
www.jainelibrary.org