________________
ગામ છે ત્યાં ગયેલા. ત્યાં બંનેએ એવો કોલ-કરાર કરેલો કે પરમાર્થ : છે. માર્ગમાં જે પહેલા પામે તે બીજાને પમાડે.
ત્યારબાદ આ બંને મિત્રોની પરમાર્થ માર્ગે એવી ગાઢ દોસ્તી થઈ કે જ્યાં જાય ત્યાં બંને સાથે જ જાય.
ચોટીલાથી નજીક ઝીંઝુડા ગામે હકાબાપા નામે એક પ્રતાપી પુરુષ થઈ ગયા. તેના દર્શને આ બંને મિત્રો અવાર નવાર જાય અને સત્સંગનો લાભ ઉઠાવે અને પરમાર્થ માર્ગે આ બેઉ આગળ વધતા
જાય.
તેમને પ્રતાપી પુરુષ હકાબાપાના સત્સંગનો વિયોગ સં. ૧૯૮૩માં
જ થયો.
હવે આ બંને સત્સંગી ભાઈઓને એવા સંજોગ આવ્યા કે પરશોત્તમભાઈને જલગાંવ એમના પુત્ર પાસે જવાનું થયું અને આ પરમાર્થ પ્રેમી મિત્રો જુદા પડ્યા. હવે પરશોત્તમભાઈને, ત્યાં કાળીદાસભાઈના સત્સંગ વિના ગોઠતું ન હોવાથી, કાળીદાસભાઈને પણ જલગાંવ બોલાવી લીધા. પણ બન્નેના ભાગ્યમાં સાથે રહેવાનું ન હોવાથી, કાળીદાસભાઈને જલગાંવ ફાવ્યું નહીં અને તે પાછા સાયલા આવ્યા. હવે બન્ને પરમાર્થ પ્રેમી મિત્રોને પત્રવ્યવહારથી જ સત્સંગ કરવાનો રહ્યો. કાળીદાસભાઈ પરશોત્તમભાઈ પાસે વ્યવહાર દૃષ્ટિએ છોકરા જેવા લાગે અને તેનામાં રિદ્ધિ, સિદ્ધિ, ચમત્કાર વિગેરે કાંઈ ન દેખાવાથી કાળીદાસભાઈ જ્ઞાની છે, મહાત્મા છે એવું પરશોતમભાઈને ન લાગવાથી તે અટકેલા હતા.
આ જ પુસ્તકમાં કાળીદાસભાઈએ પરશોતમ દોશી ઉપર લખેલા ચાર પત્રો આપેલા છે, જે વાંચવાથી કાળીદાસભાઈ શું હતા તેની ઓળખાણ થાશે, અને આ જ પુસ્તકની અંદર કાળીદાસભાઈના બનાવેલા
૨૦૪) *
૨૦૪
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org