SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ગામ છે ત્યાં ગયેલા. ત્યાં બંનેએ એવો કોલ-કરાર કરેલો કે પરમાર્થ : છે. માર્ગમાં જે પહેલા પામે તે બીજાને પમાડે. ત્યારબાદ આ બંને મિત્રોની પરમાર્થ માર્ગે એવી ગાઢ દોસ્તી થઈ કે જ્યાં જાય ત્યાં બંને સાથે જ જાય. ચોટીલાથી નજીક ઝીંઝુડા ગામે હકાબાપા નામે એક પ્રતાપી પુરુષ થઈ ગયા. તેના દર્શને આ બંને મિત્રો અવાર નવાર જાય અને સત્સંગનો લાભ ઉઠાવે અને પરમાર્થ માર્ગે આ બેઉ આગળ વધતા જાય. તેમને પ્રતાપી પુરુષ હકાબાપાના સત્સંગનો વિયોગ સં. ૧૯૮૩માં જ થયો. હવે આ બંને સત્સંગી ભાઈઓને એવા સંજોગ આવ્યા કે પરશોત્તમભાઈને જલગાંવ એમના પુત્ર પાસે જવાનું થયું અને આ પરમાર્થ પ્રેમી મિત્રો જુદા પડ્યા. હવે પરશોત્તમભાઈને, ત્યાં કાળીદાસભાઈના સત્સંગ વિના ગોઠતું ન હોવાથી, કાળીદાસભાઈને પણ જલગાંવ બોલાવી લીધા. પણ બન્નેના ભાગ્યમાં સાથે રહેવાનું ન હોવાથી, કાળીદાસભાઈને જલગાંવ ફાવ્યું નહીં અને તે પાછા સાયલા આવ્યા. હવે બન્ને પરમાર્થ પ્રેમી મિત્રોને પત્રવ્યવહારથી જ સત્સંગ કરવાનો રહ્યો. કાળીદાસભાઈ પરશોત્તમભાઈ પાસે વ્યવહાર દૃષ્ટિએ છોકરા જેવા લાગે અને તેનામાં રિદ્ધિ, સિદ્ધિ, ચમત્કાર વિગેરે કાંઈ ન દેખાવાથી કાળીદાસભાઈ જ્ઞાની છે, મહાત્મા છે એવું પરશોતમભાઈને ન લાગવાથી તે અટકેલા હતા. આ જ પુસ્તકમાં કાળીદાસભાઈએ પરશોતમ દોશી ઉપર લખેલા ચાર પત્રો આપેલા છે, જે વાંચવાથી કાળીદાસભાઈ શું હતા તેની ઓળખાણ થાશે, અને આ જ પુસ્તકની અંદર કાળીદાસભાઈના બનાવેલા ૨૦૪) * ૨૦૪ શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005579
Book TitleMoksh Marg Prakash
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1997
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy