________________
સાયલામાં કાળીદાસભાઈએ ગુજરાતી ૫ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. કાળીદાસભાઈના ઘરની શેરીના ખૂણા ઉપર એક કંદોઈની દુકાન હતી, ત્યાં કાળીદાસભાઈની બેઠક-ઉઠક હોવાથી ત્યાં બેઠા બેઠા તેઓએ કંદોઈનો ધંધો શીખી લીધો. આશરે ૧૫ વર્ષની ઉંમરે તેઓએ સાયલાની બજારમાં કંદોઈનો ધંધો શરૂ કર્યો. આજે પણ તે દુકાન તેમના નામના પાટીઆ સાથે મોજુદ છે.
તેઓશ્રી સ્વભાવે સરળ હતા. નીતિપરાયણ જીવન અને નાનપણથી સાચા ધર્મ પ્રત્યેની રૂચી હતી. તેવામાં તેમના હાથમાં શ્રીમદ્જીનું વચનામૃત આવવાથી તેનો ઊંડો અભ્યાસ શરૂ કર્યો અને શ્રીમદ્જીના બતાવેલા માર્ગે કૂદકે અને ભૂસકે આગળ વધવા લાગ્યા. તેવામાં તેમને સદ્ગુરુનો ભેટો થઈ ગયો અને કોઈ પૂર્વના પુણ્યના ઉદયના યોગે ગુરુ પાસેથી તેમને બીજજ્ઞાનની પ્રાપ્તિ થઈ. ત્યાર પછી તેમને પરમ સત્સંગની જોગવાઈ મળતી રહી. અને તેના આધારે તેમણે પોતાનું આ જન્મનું કાર્ય જે કરવાનું હતું તે સિદ્ધ કરી લીધું. તેમની ઇચ્છા લગ્ન કરવાની બીલકુલ હતી નહીં. પણ જેણે તેમને મોટા કર્યા તે જીવીબેન નાનાં બાળકો મૂકીને સ્વર્ગવાસી થઈ ગયા તે બાળકોને ઉછેરવાની જવાબદારી કાળીદાસભાઈના શીરે આવી પડી, આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવાથી એક બાજુ ભરણપોષણ કરવાની જવાબદારી અને બીજી બાજુ તેમના બહેનના બાળકોને ઉછેરવાની જવાબદારી આવી પડી તેથી લગ્ન કરવાની ઇચ્છા ન હોવા છતાં
આ ફરજ અદા કરવા માટે તેમણે સંવત્ ૧૯૮૪માં ૩૧ વર્ષની ઉંમરે લગ્ન કર્યા. તે વખતે તેમના એક મિત્ર પરશોત્તમ દોશી જે તેમનાથી આશરે ૩૦-૩૫ વર્ષથી મોટા ઉંમરવાળા હતા તેની સાથે પરમાર્થ સંબંધની દોસ્તી બંધાણી.
તે બંને મિત્રો એક દિવસ સાયલાથી થોડા માઇલ દૂર ગોસળ નામે
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
૨૦૩
www.jainelibrary.org