________________
D પત્ર ક્રમાંક ૨૮૦ : સો. As જણાવ્યા જેવું તો મન છે, કે જે સસ્વરૂપ ભણી અખંડ સ્થિર થયું છે (નાગ જેમ મોરલી ઉપર), તથાપિ તે દશા વર્ણવવાની સત્તા સર્વાધાર હરિએ વાણીમાં પૂર્ણ મૂકી નથી; અને લેખમાં તો તે વાણીનો અનંતમો ભાગ માંડ આવી શકે; એવી તે દશા તે સર્વનું કારણ એવું જે પુરુષોત્તમસ્વરૂપ તેને વિષે અમને તમને અનન્ય પ્રેમભક્તિ અખંડ
રહો; તે પ્રેમભક્તિ પરિપૂર્ણ પ્રાપ્ત થાઓ એ જ પ્રયાચના ઇચ્છી - અત્યારે અધિક લખતો નથી.
0 પત્ર ક્રમાંક ૨૮૨ : સૌ. છ મહાત્મા વ્યાસજીને એમ થયું હતું, તેમ અમને હમણાં વર્તે છે. ' આત્મદર્શન પામ્યા છતાં પણ વ્યાસજી આનંદસંપન્ન થયા નહોતા; કે કારણ કે હરિરસ અખંડપણે ગાયો નહોતો. અમને પણ એમ જ છે. અખંડ એવો હરિરસ પરમ પ્રેમે અખંડપણે અનુભવતાં હજુ ક્યાંથી આવડે ? અને જ્યાં સુધી તેમ નહીં થાય ત્યાં સુધી અમને જગતમાંની વસ્તુનું એક અણું પણ ગમવું નથી.
કોઈથી અર્થસંબંધ અને કામસંબંધ તો ઘણા કાળ થયાં ગમતાં જ નથી. હમણાં ધર્મસંબંધ અને મોક્ષસંબંધ પણ ગમતો નથી. ધર્મસંબંધ અને મોક્ષ સંબંધ તો ઘણું કરીને યોગીઓને પણ ગમે છે, અને અમે તો તેથી પણ વિરકત રહેવા માગીએ છીએ. હાલ તો અમને કંઈ ગમતું નથી, અને જે કંઈ ગમે છે, તેનો અતિશય વિયોગ છે. વધારે શું લખવું ! સહન જ કરવું એ સુગમ છે.
'' ) પત્ર ક્રમાંક ૨૮૪ જ છે ૧. પરસમય જાણ્યા વિના સ્વસમય જાણ્યો છે એમ કહી શકાય છે નહીં.
૨. પરદ્રવ્ય જાણ્યા વિના સ્વદ્રવ્ય જાણ્યું છે એમ કહી શકાય
જ નહીં,
મોક્ષમાર્ગ પ્રકાશ
૪૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org