________________
પત્ર ક્રમાંક ૨૬૭ %
હરિગીત જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો, જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં; તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું. સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહ્યાં વિશેષ, જીવ કરવા નિર્મળો, જિનવર..૧ નહિ ગ્રંથમાંથી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિ કવિ ચાતુરી, નહિ મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિ ભાષા ઠરી; નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનમાં કળો, જિનવર...૨ આ જીવને આ દેહ એવો, ભેદ જો ભાસ્યો નહીં; પચખાણ કીધાં ત્યાં સુધી, મોક્ષાર્થ તે ભાખ્યાં નહીં; એ પાંચમે અંગે કહ્યો, ઉપદેશ કેવળ નિર્મળો, જિનવર...૩ કેવળ નહીં બ્રહ્મચર્યથી........... કેવળ નહીં સંયમ થકી, પણ જ્ઞાન કેવળથી કળો, જિનવર...૪ શાસ્ત્રો વિશેષ સહિત પણ જો, જાણિયું નિજરૂપને, કાં તેહવો આશ્રય કરજો, ભાવથી સાચા મને; તો જ્ઞાન તેને ભાખિયું, જો સમ્પતિ આદિસ્થળો, જિનવર૫ છે. આઠ સમિતિ જાણીએ જો, જ્ઞાનીના પરમાર્થથી; તો જ્ઞાન ભાખ્યું તેહને, અનુસાર તે મોક્ષાર્થથી; નિજ કલ્પનાથી કોટિ શાસ્ત્રો, માત્ર મનનો આમળો, જિનવર છે. ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વનાં, શ્રી નંદીસૂત્રે ભાખિયા છે, ભેદ જ્યાં સિદ્ધાંતના; પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં, એજ ઠેકાણે ઠરો, જિનવર...૭ વ્રત નહીં પરખાણ નહિ, ત્યાગ વસ્તકોઈનો, આ મહાપદ્મ તીર્થકર થશે, શ્રેણિક ઠાણંગ જોઈલો, છોદ્યો અનંતા.. ...........
...... ...... જિનવર...૮
૪૨
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org