________________
ઉપયોગનો જ મહિમા જોયા કરો. ઉપયોગની સ્મૃતિ એ જ આપણો પુરુષાર્થ છે.
અજ્ઞાનથી જ કાર્યણ શરીર અને સ્થૂળ શરીરમાં આપણો આત્મા પુરાણો છે. અજ્ઞાની જીવોનો ઉપયોગ દેહમાં ૨મણ કરે છે, એટલે તેઓ દેહમાં જ જાગે છે. બોધિપુરુષને બોધ થયો એટલે તેઓને ખબર પડી કે આ દેહમાં કેવળ ઉપયોગનો જ મહિમા છે. અને દેહના ધર્મોથી ઉપયોગ ભન્ન છે, અસંગ છે, એવી જાગૃતિ છે એટલે તેઓ લેપાતા નથી. પણ તેઓના બોધના પ્રમાણમાં તેઓનો ઉપયોગ જ્ઞાનદશા સંપૂર્ણ ન થાય ત્યાં સુધી આત્મામાં જાગતો છે, ૨મે છે, અને ક્યારેક દેહમાં જાગે છે, ૨મે છે. જેમ જેમ જ્ઞાનદશા વધતી જશે તેમ તેમ ઉપયોગની જાગૃતિ વધતી જશે. મતલબ તમારે કોઈ રીતે મુંઝાવાનું નથી. જો અંજળ હશે તો બે ત્રણ માસમાં દેશમાં આવી મોરબી આંટો આવી જઈશ. અહીથી ફાગણ શુદમાં ૨વાના થઈ જબલપુર, મુબઈ થઈ સાયલા જઈશ.
દ : છોટાલાલના આત્મવંદન (આ પત્ર કલકત્તાથી લખાયો છે)
O પત્ર નં. ૩૩ G
જીવ બંને પ્રકારના શરીરોમાં પોતે આત્મા હોવા છતાં અજ્ઞાનથી હું દેહ છું, એવી અજ્ઞાન બુદ્ધિથી પુરાણો છે. હવે જાગૃત થઈ હું આત્મા જીવતો-જાગતો છું, બાકી બંને દેહો અસત્ છે, એવી સમયે સમયે જાગૃતિ રાખે તો બંને દેહથી છુટી જાય.
જીવની જ્ઞાનધારા અજ્ઞાનથી બે પ્રકારના વિભાવયોગથી ઢંકાએલી છે. જો જીવ જાગૃત થઈ હું જીવતો-જાગતો આત્મા છું એવી સમયે સમયે જાગૃતિ રાખે તો બન્ને પ્રકારના વિભાવ યોગથી મુકાય તેમ છે.
જીવતી-જાગતી જીવની જ્ઞાનધારા એક સત્ વસ્તુ છે. બાકી બધા પ્રકારનો ઉદય અસત્ છે. માટે જીવે સમયે સમયે જાગૃત રહેવું જોઈએ કે હું જીવતો-જાગતો આત્મા છું.
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
૩૪૭
www.jainelibrary.org