________________
બોધી પુરુષોને દેહના સર્વે કામો થાય છે તેમાં ઉપયોગનો જ મહિમા છે. તેઓ જાણે છે કે દેહમાંના સર્વે કામો થવા છતાં ઉપયોગ હંમેશાં શુદ્ધ જ, ફેરાફાર વગરનો તથા દેહના ધર્મોથી અસંગ જ રહે છે. તે ક્યારે પણ મેલો થતો નથી. દેહની શાતા-અશાતામાં પણ છે. ઉપયોગનો જ મહિમા છે તેઓ જાણે છે કે શાતા-અશાતા દેહના ધર્મ છે. અને ઉપયોગ અથવા જ્ઞાન આત્માનો ધર્મ છે. આવી ભિન્નતા તેઓ જાણે છે, એટલે મનમાં થતા સુખ દુઃખ તે કર્મનું જ ફળ છે. આત્માનો
ઉપયોગ તેથી ભિન્ન છે, ફેરફાર વગરનો છે. કૃપાળુદેવ લખે છે કે છે. ક્ષાયિક સમકિત એટલે આત્માના ઉપયોગની નિરંતર પ્રતિતી રહેવી. આ
ક્ષયોપશમ સમકિતું ક્વચિત્ તીવ્ર, ક્વચિત્ સ્મરણરૂપ, ક્વચિત્ વિસ્મરણરૂપ. દેહના કાર્યોમાં ઉપયોગનો મહિમા રહેવો. જે ઉપયોગ, દેહમાં પુદ્ગલીક ભાવો ઉત્પન્ન થાય છે અને ભાવો અનુસાર મન- ? વચન-કાયાના યોગથી ક્રિયા થાય છે તેથી તદ્દન ભિન્ન છે. ઉપયોગ ચેતન છે. દેહના ભાવો, ક્રિયાઓ જડ છે. આવો અભ્યાસ રહેવાથી દેહાધ્યાસ ઘટતો જાય છે અને દેહની ક્રિયા રસ રહિતપણે, બહુ ઓછા રાગ-દ્વેષથી થાય છે.
અજ્ઞાનીને આવી કાંઈ પણ ખબર નથી એટલે તેઓ હંમેશા રાગ[ òષના પ્રવાહમાં જ ખેંચાય છે. તમે તો શું પણ તમારાથી ઓછા 1 * પ્રયત્નવાળા તથા ઓછા બોધવાળાનું પણ હંમેશા સમાધી મરણ જ * હોય. એ બોધનો મહિમા છે, કદાચ આવો બોધિ જીવ બે ચાર કલાક
બે શુદ્ધિમાં જ કાળધર્મને પામી જાય તો પણ તેને બાધા નથી. બોધિને છે હંમેશા પુરુષાર્થ વધતો જાય છે, બોધિ જાણે છે કે જન્મ-મરણ દેહના છે
થાય છે. આત્મા તો અખંડ ઊભો રહે છે. તેનો તો ઉત્પત્તિ કે નાશ નથી. કેવળ ખોળીયું બદલાય એટલું જ. બાકી તો શુભાશુભ કર્મ જેમ ભેગા જાય છે તેમ મનુષ્ય દેહે થયેલો બોધ પણ તેની સાથે જ જાય છે.
અને બીજા ભવમાં જેમ શુભાશુભનો ઉદય આવે છે તેમ બોધનો પણ છે. ઉદય થાય છે.
ટુંકમાં રાત-દિવસ નિવૃત્તિના વખતમાં દેહના કાર્યો થાય તેમાં
૩૪૬
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org