________________
કૃપાળુદેવે સૌભાગ્યભાઈ ઉપર આટલા આટલા કાગળો લખ્યા છે છતાં તેમાં કોઈ ઠેકાણે હઠ કરીને નિર્વિકલ્પ થવાનું લખ્યું નથી. જે * નિર્વિકલ્પપણું તે આત્માની જાગૃતિપૂર્વકનું નિર્વિકલ્પપણું લખ્યું છે. ' * હવે ધ્યાનને માટે વધારે તો શું લખવું. જે કરવા જેવું ધ્યાન હતું તે જ
તમે બરાબર કરી શક્યા નથી, તેમ તેના ઉપર જોઈએ તેવો પ્રેમ, પદાર્થ અનિર્ણયને લીધે આવ્યો નથી. દેહ તો અત્યારે આમ થયો પણ પહેલાતો ઠીક હતો. વળી તે ધ્યાન કંઈ બેસીને કે એક જ આસને થયા તો જ લાભ આપે તેવું કાંઈ હઠ યોગના પ્રયોગ જેવું ન હતું, જે હતું તે સહજ અને સરળ હતું. ગમે ત્યારે ગમે તેમ પણ તે રૂપજ વૃત્તિ જ
અખંડાકાર કરવાની હતી, એમાં બધી સૂઝ તેની મેળે પડત. આગળ છે 1 શું દશા ઉત્પન્ન થાય છે અને કેમ રહેવાય છે, તેની પણ ખબર પડત. '
અમે તો હજુ પણ કહીએ છીએ કે તેના સિવાય આત્મસ્થિતિ અને આત્મસ્થિરતા પ્રગટ થવી અસંભવીત છે. પણ તેના માટે તમે કબીરપંથી * વિગેરેના ઘણા દાખલા મને આપતા, અને કહેતા કે આને કેમ કાંઈ જ
થતું નથી ? ત્યારે હું લાચાર થઈ જતો પણ તે વિષે ફક્ત તેટલું જ જાણવાથી દશા બદલાઈ જાય તેવું કાંઈ કારણ નહોતું. સાથે સત્સંગનું બળ, વસ્તુનો નિરંતર વિચાર, પ્રબળ જીજ્ઞાસા અને અપૂર્વ પ્રેમ, ઉત્સાહ તથા અત્યંતર ત્યાગ, વૈરાગ્ય આ બધું હોય ત્યારે ફળદાયક જ થાય. પણ વિચાર તો તમે કરતા નહોતા અને બીજા પાસેથી ખરી છે | વસ્તુ પ્રાપ્ત કરવી તેવી જીજ્ઞાસા તમારી કાયમ રહ્યા કરતી હતી. જો | * આ વસ્તુને સર્વોપરી જ્ઞાનીનું બતાવેલું તત્ત્વ માન્યું હોત તો તેવા * પ્રકારની લોલુપ્તા હોત નહીં.
હાથનોંધ બીજી આંક ૧૦-૧૧ વાંચીને વિચારશો કે આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ નિર્વિકલ્પ દૃષ્ટા છું તેવું પોતે લખે છે. તો હવે વિકલ્પ કોના સ્વરૂપમાં હશે કે તે કાઢવા માટે આપ મુંઝાયા કરો છો ? ?
આમાં વિશેષ સમજવાનું એટલું છે કે પોતાને દરેક ક્રિયા, વૃત્તિ કે સંકલ્પ ઉઠે છે તેના દૃષ્ટા તરીકેનો અનુભવ આત્મ જાગૃતિરૂપે ક્ષણે ક્ષણે હોવો જોઈએ. હવે તે પરિચય નહીં હોવાથી તુરતમાં તેમ બનવું
ર૬.
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org