________________
જ મુશ્કેલવાળું છે. છતાં અન્ય ભાવથી, અન્ય વિકલ્પથી ઉદાસ થઈ આ
પ્રેકટીસ પાડે તો પડે ખરી. વળી સુતા, બેસતા, હાલતા ચાલતા ગમે
તેવી સ્થિતિમાં આ લક્ષ જાગૃત રહી શકે તેવું છે. બધી વાત પડી મુકી છે. એક આત્માના ગુણ લક્ષણાદિનો વિચાર કરી અન્ય વિકલ્પથી રહીત છે. થવું તે કર્તવ્ય છે.
હવે લક્ષણ ગુણમાં આપ ન સમજતા હો તો જાણશો કે જાણપણાનો છે તથા જ્ઞાયક સ્વભાવ તે કોઈ પરદ્રવ્યનાં (પુગલનાં) ગુણ નથી, તે
તમે દૃઢપણે વિચારી નિશ્ચય કરશો. આના માટે વિશેષ સમજવા બીજા ભાગમાં ઉપદેશછાયા પાનું ૭૧૨માં છેલ્લા બે પેરેગ્રાફ તેમાં પ્રશ્ન મોક્ષ એટલે શું ?
અને તેનો ઉત્તર, તે બે પેરા જરૂર વાંચશો. પૂરેપૂરા વાંચીને વિચાર કરશો તો આત્મા નિર્વિકલ્પ છે કે સવિકલ્પ છે તેની ખબર પડશે. કુંભારનો દાખલો લખ્યો તે વાંચ્યો, હું કઈ તેવો સમર્થ નથી. . આપણે સૌ માર્ગના ઇચ્છુક છીએ. અરસપરસ એક બીજાના સમજવામાં હોય તેવી લેવડ દેવડ, એક બીજાની વાત રજુ કરીયે તે આપણો ધર્મ
છે. તેમાં સારું લાગે તે સંમતે કરવું તે સત્સંગ કરવાનું ફળ છે. વળી * હું જે લખું છું તે મારી મતીથી કાંઈ લખતો નથી, પણ જ્ઞાની પુરુષ જે તે પ્રમાણે માર્ગની પ્રવૃત્તિ બતાવી ગયા છે, તેની સાક્ષી માટે પુસ્તકના ..
આંક ટાંક્યા છે. તો તે તેમનું કહેવું છે. તે મુજબ અમારે સમંત છે. તમે સંમત કરો તો દુ:ખ માટે રામના નામનો અથવા બીજા કોઈ [ પવિત્ર નામનો જાપ કરવામાં વાંધો નથી. પણ લક્ષ એટલો હોવો
જોઈએ કે તેઓ સંપૂર્ણ શુદ્ધ આત્મા હતા, અને આપણો આત્મા પણ પરમાર્થથી તેવો જ છે. અને તેવો જ શુદ્ધ આત્મા પ્રાપ્ત કરવા અમારી પ્રવૃત્તિ છે. હવે અભણનું કલ્યાણ કેમ થતું હશે તેની વારંવાર શંકા તમને ઉદ્ભવે છે, પણ ભણેલાને તો ઘણીવાર લાગે, અભણને તેટલી વાર લાગે નહીં કારણ કે ભણેલો વધારે વિકલ્પી હોય. અભણ તેટલો વિકલ્પી હોય નહીં. વળી તેનામાં મોટામાં મોટો ગુણ એ વાતનો હોય છે કે ગુરુએ જે માર્ગ બતાવ્યો હોય તે મારગમાં અશક્તિપણે નિરંતર
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૪૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org