________________
દૈહિકાદિ યોગક્રિયા પૂર્વપ્રારબ્ધોદય વેદી લેવા પૂરતી જ છે, માટે ‘વિચરે ઉદયપ્રયોગ’ કહ્યું. સંપૂર્ણ નિજ અનુભવરૂપ તેમની વાણી અજ્ઞાનીની વાણીથી વિલક્ષણ અને એકાંત આત્માર્થબોધક હોઈ તેમને વિષે વાણીનું અપૂર્વપણું કહ્યું તે તેમનો ‘વચનાતિશય' સૂચવ્યો. વાણીધર્મે વર્તતું શ્રુત પણ તેઓને વિષે કોઈ પણ નય ન દુભાય એવું સાપેક્ષપણે વર્તે છે, તે તેમનો ‘૫૨મશ્રુત' ગુણ સૂચવ્યો અને પ૨મશ્રુત જેને વિષે વર્તે તે પૂજવા યોગ્ય હોઈ તેમનો તેથી ‘પૂજાતિશય’ સૂચવ્યો.
કોઈ પદાર્થ કાળો હોય તો સમદર્શી તેને કાળો દેખે, જાણે, જણાવે. કોઈ શ્વેત હોય તો તેને તેવો.દેખે, જાણે, જણાવે. કોઈ સુરભિ (સુગંધી) હોય તો તેને તેવો દેખે, જાણે, જણાવે. સર્પને સર્પની પ્રકૃતિરૂપે દેખે, જાણે, જણાવે. વાઘને વાઘની પ્રકૃતિરૂપે દેખે, જાણે, જણાવે ઇત્યાદિ પ્રકારે વસ્તુમાત્રને જે રૂપે, જે ભાવે તે હોય તે રૂપે, તે ભાવે સમદર્શી દેખે, જાણે, જણાવે. હેય (છાંડવા યોગ્ય)ને હેયરૂપે દેખે, જાણે, જણાવે. ઉપાદેય (આદરવા યોગ્ય)ને ઉપાદેયરૂપ દેખે, જાણે, જણાવે. પણ સમદર્શી આત્મા તે બધામાં મારાપણું, ઇષ્ટઅનિષ્ટ બુદ્ધિ, રાગદ્વેષ ન કરે, સુગંધ દેખી પ્રિયપણું ન કરે; દુર્ગંધ દેખી અપ્રિયતા, દુગંછા ન આણે. (વ્યવહા૨થી) સારૂં ગણાતું દેખી આ મને હોય તો ઠીક એવી ઇચ્છાબુદ્ધિ (રાગ, રતિ) ન કરે, (વ્યવહારથી) માઠું ગણાતું દેખી આ મને ન હોય તો ઠીક એવી અનિચ્છાબુદ્ધિ (દ્વેષ, અરતિ) ન કરે. પ્રાપ્ત સ્થિતિ સંજોગમાં-સારૂં-માઠું, અનુકૂળ-પ્રતિકૂળ, ઇષ્ટાનિષ્ટપણું, આકુળવ્યાકુળપણું ન કરતાં તેમાં સમવૃત્તિએ અર્થાત્ પોતાના સ્વભાવે, રાગદ્વેષરહિતપણે રહેવું એ સમદર્શિતા.
સમદર્શીપણું એટલે લૌકિક ભાવનો સમાન ભાવ, અભેદ ભાવ, એકસરખી બુદ્ધિ, નિર્વિશેષપણું નહીં, અર્થાત્ કાચ અને હીરો એ બે સમાન ગણવા, અથવા સમ્રુત અને અસદ્ભુતમાં સમપણું ગણવું,
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
૧૧૫
www.jainelibrary.org