________________
પરોક્ષ જ્ઞાન કોને કહેવું અને અપરોક્ષ જ્ઞાન કોને કહેવું તે પ્રથમ સત્સંગ દ્વારા, સપુરુષના વચનના વિશ્વાસે, આ દેહ અને આ આત્મા, વાસ્તવિક રીતે વિચારી વિચારીને બીજા શાસ્ત્રો કે બીજા મહાત્માઓ પાસેથી પણ લક્ષ લઈને એવો નિરધાર થાય કે દેહ છે તે હું નથી. હું આ
તેથી રહિત અજર, અમર, શાશ્વત સુખરૂપ આત્મા છું, એવો શ્રદ્ધાથી જ નિશ્ચય થયો તે પરોક્ષ જ્ઞાન છે-એટલે અવ્યક્ત જ્ઞાન છે. તે જ્ઞાનમાંથી જ નિરંતર ઉપયોગની જાગૃતિ કરી ઉપર કીધાં તે પ્રકારનાં સંકલ્પવિકલ્પથી રહિત થયે, પોતાના સ્વરૂપનું આનંદ અને સુખ તે પોતાને અનુભવસિદ્ધ લક્ષગત થાય તો તે ઉપયોગમાંથી બહાર નીકળવાનું પણ મન ન થાય, અને નીકળે તો તે ભારરૂપ, બોજારૂપ પરાણે મીઠાશ વગર અને વિષની માફક તે બોજો વહન કરે છે. વહન કરતા પણ પોતાની વૃત્તિ તે પ્રથમનાં ઉપયોગ તરફ જાગૃત હોય છે. પણ એ છે આવરણ ટળ્યું કે તુરત જ પ્રથમના ઉપયોગમાં લીન થાય છે, અને પોતાના સ્વરૂપને તમામ અન્ય પદાર્થથી ચહિત પ્રથમ શ્રદ્ધા હતી તેવી જ જ રીતે તે અનુભવે છે. હવે જ્યારે અનુભવે છે અને આનંદ લે ત્યારે અપરોક્ષ જ્ઞાન કહેવાય. અને તે જ્ઞાન વ્યક્ત રીતે કહેવાય. આમ તો વ્યક્ત કહો, ચાહે તો અનુભવસિદ્ધ કહો અને ચાહે તો અપરોક્ષ જ્ઞાન છે.
કહો એ એક જ વસ્તુ છે. ' હવે પરોક્ષ જ્ઞાન કોને કહેવું તે વિશેષ આપને સમજવા માટે મારી આ પાસે શ્રીમદ્ કૃપાળુદેવે લલ્લુજી મહારાજને લખેલ છે (તે પુસ્તક દ્વારા જ
અપ્રગટ છે), પણ ખાનગી રીતે અમને તે પત્ર મળેલ છે. જેમાં આ ! જ મુજબ પાંચ કલમો છે : છે (૧) સનાતન ઉપયોગ એવો જે મારો શાશ્વત ધર્મ તે મુકીને જોગને વિષે આત્મબુદ્ધિ નહીં કરું. અર્થાત્ જોગ સ્વરૂપ નહીં માનું.
(૨) સદ્ગુરુએ અનંત કૃપાએ કરીને આપેલ સહજ આત્મસ્વરૂપને મુકીને ભ્રાન્તિથી અછતી વસ્તુને સાક્ષાત્ જેવી વસ્તુ કલ્પીને એમાં હવે પછી ભરમાઈશ નહીં, અર્થાત્ એવી ભ્રાન્તિમાં હવે પછી પડીશ નહીં
રપર
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org