________________
અને સહજ આત્મસ્વરૂપમાં જ ત્રિકાળ વાસ કરીને રહીશ.
(૩) અનાદિ અરૂપી અને અ-મૂર્તિ એવું મારું શાશ્વત, શુદ્ધ છે ચૈતન્ય સ્વરૂપ તેને મુકીને રૂપી અને મૂર્તિ એવો જે દેહ તેને સ્વરૂપ |
નહીં માનું.
છે. (૪) શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ મૂર્તિને મુકીને બહાર દ્રષ્ટિએ એટલે ચર્મ છે.
ચક્ષુ વડે ચામડાને નહીં જોવું, તે તો ચમારની દ્રષ્ટિ ગણાય, જે ચમાર હોય તે જ ચામડાને વિષે રંજન થાય. હું તો દિવ્ય દ્રષ્ટિવાળો દેવ છું ? એટલે જ્ઞાનમૂર્તિ શુદ્ધ ચૈતન્યને જોઈશ.
(૫) ત્રણે કાળે એક સ્વરૂપ રહેનારું એવું સમતારૂપી શુદ્ધ ચૈતન્ય જ્ઞાનમૂર્તિ તે મુકીને જડ અજીવમાં નહીં પરિણમું અર્થાત્ અજીવને
સ્વરૂપ નહીં માનું. જીવરાશી જ્ઞાન દર્શન મૂળ સ્વરૂપે જીવનારો જીવ - તે જ મારું સ્વરૂપ છે, એટલે તેમાં જ ત્રિકાળ નિવાસ કરીને રહીશ. છે ઉપરની જે પાંચ કલમો છે તેની તેવા પ્રકારે પહેલા માન્યતા થવી | તે પરોક્ષ જ્ઞાન છે, અને તે જ પ્રમાણે આત્મા પરિણમે અને પોતાના |
જ્ઞાન સ્વભાવને, જાગૃત સ્વભાવને અનુભવે અને તે જ પરિણતીએ પરિણમે ત્યારે અનુભવસિદ્ધ ખાત્રીપૂર્વક પોતાના સ્વરૂપનું ભાન થવાથી ( તે જ્ઞાનને અપરોક્ષ જ્ઞાન કહ્યું છે. છેબીજું તમો લખો છો કે સમકિત શું પુરુષાર્થ કરવાથી પમાય ? છે તેનો ખુલાશો - હવે સમકિતના ત્રણ પ્રકાર-(૧) ઉપશમ સમકિત, ' (૨) ક્ષયોપશમ્ સમકિત, (૩) ક્ષાયિક સમકિત. ૧. પહેલા સમકિતની વ્યાખ્યા - “ઉપશમ સમકિત.”
મત દર્શન આગ્રહતજી, વર્તે સદ્ગુરુ લક્ષ;
લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદ ન પક્ષ. ૧૧૦ ૨. બીજા સમકિતની વ્યાખ્યા-“ક્ષયોપશમ્ સમકિત.”
વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતિત; - વૃત્તિ વહે નિજ ભાવના, પરમાર્થે સમકિત... ૧૧૧
( શ્રી સોભાગ્યભાઈ અને સાયલા )
ર૫૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org