________________
* પ્રાપ્તિથી કે અપ્રાપ્તિથી હર્ષશોક થવા યોગ્ય નથી. તોપણ એમ જણાય
છે કે સત્પરુષના સમાગમની પ્રાપ્તિથી કંઈ પણ હર્ષ અને તેમના વિયોગથી કંઈ પણ ખેદ અમુક ગુણસ્થાનક સુધી તેમને પણ થવા છે. યોગ્ય છે.
શ્રી સોભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે ઉપકારતા આદિ ગુણો વારંવાર વિચારવા યોગ્ય છે.
0 પત્ર ક્રમાંક ૭૮૩: ગં.+સો. ૯૪ શ્રી સોભાગની મુમુક્ષુદશા તથા જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો તેનો અદ્ભુત છે નિશ્ચય વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે.
સર્વ જીવ સુખને ઇચ્છે છે; પણ કોઈ વિરલા પુરુષ તે સુખનું યથાર્થ જ સ્વરૂપ જાણે છે.
જન્મ, મરણ આદિ અનંત દુ:ખનો આત્યંતિક (સર્વથા) ક્ષય થવાનો ઉપાય અનાદિકાળથી જીવના જાણવામાં નથી, તે ઉપાય જાણવાની અને કરવાની સાચી ઇચ્છા ઉત્પન્ન થયે જીવ જો સપુરુષના સમાગમનો લાભ પામે તો તે ઉપાયને જાણી શકે છે, અને તે ઉપાયને ઉપાસીને સર્વ દુ:ખથી મુક્ત થાય છે.
તેવી સાચી ઇચ્છા પણ ઘણું કરીને જીવને પુરુષના સમાગમથી જ પ્રાપ્ત થાય છે. તેવો સમાગમ, તે સમાગમની ઓળખાણ દર્શાવેલા માર્ગની પ્રતીતિ, અને તેમ જ ચાલવાની પ્રવૃત્તિ જીવને પરમ દુર્લભ છે.
મનુષ્યપણું, જ્ઞાનીના વચનોનું શ્રવણ પ્રાપ્ત થવું, તેની પ્રતીતિ 4 થવી, અને તેમણે કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી પરમ દુર્લભ છે.
પ્રત્યક્ષ સપુરુષના સમાગમ અને તે આશ્રયમાં વિચારતા મુમુક્ષુઓને છે મોક્ષસંબંધી બધાં સાધનો અલ્પ પ્રયાસે અને અલ્પકાળે પ્રાયે (ઘણુ ' કરીને) સિદ્ધ થાય છે. પણ તે સમાગમનો યોગ પામવો દુર્લભ છે. તે |
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૦૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org