________________
- ટાઈમ જોઈશે. જ્યાં સુધી સત્તામાં કર્મનો ઉદય રહેલ છે અને બીજી છે બાજુ પૂર્વોપાર્જીત મોહનીય કર્મ પડેલું છે તે જેમ તમો ઇચ્છો તેમ
રહેવા દે નહીં. * આત્મા એકરૂપ છે અને સર્વરૂપ છે છતાં સર્વરૂપ થવા છતાં તે પોતાનું એકરૂપપણું એટલે જ્ઞાનરૂપણું છોડતો નથી.
કર્મનો ઉદય આવે ત્યારે આપણે ન ઇચ્છીએ છતાં વિવિધ પ્રકારની | * ઇચ્છાઓ ઉત્પન્ન થાય, અજાગૃતપણું કરાવી દે અને આપણને લાગે કે જ છે આપણે કર્મદશા જેવા થઈ ગયા છતાં પણ ચેતન જ્ઞાનરૂપ જ રહે અને તે આ કર્મ કર્મરૂપ જ રહે કારણ કર્મના ઉદય વખતે અજાગૃતપણું થઈ જાય ! છે તોપણ ચેતન અસંગ રહે, ચેતન જડ થાય નહીં, અને કર્મ ચેતન થાય ' નહીં. વિચાર કરી કરીને આ નિશ્ચય વધારવો. ક્ષયોપસમ જ્ઞાન થયું ! જ છે. એટલે વિચાર વડે આ નિશ્ચય જ સ્થિરતા કહેવાય, ચારિત્ર દશા છે કહેવાય અને ક્ષયોપશમ જ્ઞાનવાળાને અજાગૃતપણું એ ચારિત્ર દશા ઉપર આવરણ કહેવાય છે. તેમાં સમકિત ઉપર આવરણ નથી. આ કાગળ તમો ખૂબ વિચારશો.
( દ : છોટાલાલના આત્મવંદન પત્ર નં. ૪
સાયલા, તા. ર૭-૭-૬૫ છે. ભાઈ શ્રી રતીલાલ, અંધેરી
આત્મા એકરૂપ છે તેમજ સર્વરૂપ છે. કર્મના ઉદય વખતે ઉદયરૂપ થઈ જાય છતાં પોતાનું એકરૂપપણું એટલે જ્ઞાનરૂપપણું છોડતો નથી. ક્ષયોપશમ જ્ઞાન હોવાથી કર્મના બળવાન ઉદયમાં અજાગૃતપણું થઈ છે
જાય કારણ એક બાજુ કર્મનો બળવાન ઉદય છે અને જ્ઞાન ક્ષયોપશમ જ છે, એટલે પૂર્વોપાર્જીત મોહનીય સત્તામાં પડ્યું છે એટલે તે તેનો ભાવ
ભજવે છે. આવી રીતે થવા છતાં પણ ચેતન ચેતનરૂપે જ રહે અને * અસંગ રહે અને કર્મનો ઉદય જડ રૂપ જ રહે. આપણે તો તેવી જ સ્થિતિમાં વિચાર કરવો જે દેહની સ્થિતિ ગમે તેવી થાય તો પણ
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૩૧૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org