________________
શ્રીમદ્ રાજચંદ્ર વિષે ગાંધીજી
ભારતની વિશ્વ વિખ્યાત વિભૂતિ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજી લખે છે :
‘મારા જીવનમાં શ્રીમદ્ રાજચંદ્રની છાપ મુખ્યપણે છે. મહાત્મા ટૉલસ્ટૉય તથા રસ્કિન કરતાં પણ શ્રીમદે મારા ઉપર ઊંડી અસર કરી છે. ઘણી વાર કહી ને લખી ગયો છું કે મેં ઘણાના જીવનમાંથી ઘણું લીધું છે. પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રી (શ્રીમદ્ રાજચન્દ્ર)ના જીવનમાંથી છે.
શ્રીમદ્ રાજચન્દ્ર અસાધારણ વ્યક્તિ હતા. તેમનાં લખાણો તેમના અનુભવનાં બિંદુસમા છે. તે વાંચનાર, વિચારનાર અને તે પ્રમાણે ચાલનારને માટે મોક્ષ સુલભ થાય. તેના કષાયો મોળા પડે, તેને સંસાર વિષે ઉદાસીનતા આવે, તે દેહનો મોહ છોડી આત્માર્થી બને.
આટલા ઉ૫૨થી વાંચનાર જોશે કે શ્રીમદ્નાં લખાણ અધિકારીને સારુ છે. બધા વાંચનાર તેમાં રસ નહીં લઈ શકે. ટીકાકારને તેની ટીકાનું કારણ મળશે. પણ શ્રદ્ધાવાન તો તેમાંથી ૨સ જ લૂંટશે. તેમનાં લખાણોમાં સત્ નીતરી રહ્યું છે, એવો મને હંમેશ ભાસ આવ્યો છે. તેમણે પોતાનું જ્ઞાન બતાવવા સારું એક પણ અક્ષર નથી લખ્યો. લખનારનો હેતુ વાંચનારને પોતાના આત્માનંદમાં ભાગીદાર બનાવવાનો હતો. જેને આત્મક્લેશ ટાળવો છે, જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે, તેને શ્રીમનાં લખાણોમાંથી બહુ મળી રહેશે, એવો મને વિશ્વાસ છે, પછી ભલે તે હિન્દુ હો કે અન્ય ધર્મી.
જે વૈરાગ્ય (અપૂર્વ અવસર ક્યારે આવશે ?) એ કાવ્યની કડીઆમાં ઝળહળી રહ્યો છે તે મેં તેમના બે વર્ષના ગાઢ પરિચયમાં ક્ષણે ક્ષણે તેમનામાં જોયેલો.
તેમનાં લખાણોની એક અસાધારણતા એ છે કે પોતે જે અનુભવ્યું તે જ લખ્યું છે. તેમાં ક્યાંય કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારુ એક લીટી સરખી પણ લખી હોય એમ મેં નથી જોયું.
୪
Jain Education International
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
www.jainelibrary.org