________________
: ખાતાં, બેસતાં, સૂતાં, પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તો ? હોય જ. કોઈ વખત આ જગતના કોઈ પણ વૈભવને વિષે તેમને મોહ . થયો હોય એમ મેં નથી જોયું.
આ વર્ણન સંયમીને વિષે સંભવે. બાહ્યાડંબરથી મનુષ્ય વીતરાગી ? નથી થઈ શકતો. વીતરાગતા એ આત્માની પ્રસાદી છે. અનેક જન્મના છે. પ્રયત્ન મળી શકે છે. એમ હરકોઈ માણસ અનુભવી શકે છે. રાગોને કાઢવાનો પ્રયત્ન કરનાર જાણે છે કે રાગરહિત થવું કેટલું કઠિન છે. જે એ રાગરહિત દશા કવિ (શ્રીમ)ને સ્વાભાવિક હતી, એમ મારા છે ઉપર છાપ પડી હતી.
મોક્ષનું પ્રથમ પગથિયું વીતરાગતા છે. જ્યાં સુધી જગતની એક પણ વસ્તુમાં મન ખેંચેલું છે ત્યાં સુધી મોક્ષની વાત કેમ ગમે ? અથવા ગમે તો તે કેવળ કાનને જ.. એટલે જેમ આપણને અર્થ જાણ્યા સમજ્યા વિના કોઈ સંગીતનો કેવળ સૂર જ ગમી જાય તેમ. એવી કર્ણપ્રિય ગમ્મતમાંથી મોક્ષને અનુસરવાનું વર્તન આવતાં તો ઘણો કાળ વહી જાય. આંતરવૈરાગ્ય વિના મોક્ષની લગની ન થાય. એવી વૈરાગ્યલગની કવિ (શ્રીમદ્)ની હતી.
આ ઉપરાંત એમના જીવનમાંથી શીખવાની બે મોટી વાતો તે સત્ય [ અને અહિંસા. પોતે જે સાચું માનતા તે કહેતા અને આચરતા.”
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.
આત્મસિદ્ધિ ગા. ૧
દોહરા જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કોય; જ્ઞાની વેદે ઘેર્યથી, અજ્ઞાની વેદે રોય. (પા.૩૧
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org